SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમકાજચંદ્ર”—એક સમાચના ૧૭મે વર્ષે મેક્ષમાળામાં તેઓ ભક્તિતત્વ વિષે લખતાં તલવાર, ભાંગ અને દર્પણ એ ત્રણ દષ્ટાંતથી એનું સ્થાપન કરે છે. તલવારથી શૌર્ય અને ભાંગથી જેમ કેફ વધે છે, તેમ સદ્દભક્તિથી ગુણશ્રેણું ખીલે છે. જેમ દર્પણ દ્વારા સ્વમુખનું ભાન થાય છે, તેમ શુદ્ધ પરમાત્માના ગુણુચિતન વખતે આત્મસ્વરૂપનું ભાન પ્રગટે છે. કેટલું દષ્ટાંતસૌઇવ? ( “મેક્ષમાળા'-૧૩.) એ જ પ્રસંગે વળી તેઓ કહે છે કે, જેમ મેરિલીના નાદથી સૂતો સાપ જાગે છે, તેમ સગુણસમૃદ્ધિના શ્રવણથી આત્મા મેહનિદ્રામાંથી જાગે છે. (“મેક્ષમાળા'-૧૪.). તેઓએ “મેક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા'– ૬) કથા ટાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હાઈ હું અહીં કહેતો નથી; પણ જે જૈને હેય, તે તેને તદ્દન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ પણ સહેજે જેની પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસતી તેમજ બાધક છે? શ્રીમદ્દ જૈન સંપ્રદાયનાં નવ તની “મેક્ષમાળા'માં (૯૩) કુશળતાપૂર્વક સમજુતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે, જીવ તત્ત્વ પછી અજીવ તાવ આવે છે અને અજીવ તત્વ તે જીવનું વિરોધી છે; એ બે વિરોધી તત્ત્વનું સમીપપણું કેમ ઘટે? તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી, આ પ્રશ્નને ખુલાસો આર્થિક રીતે પૂરો પાડતાં કહે છે કે, જુએ, પહેલું જીવ તત્વ અને નવમું મોક્ષ તત્વ એ બને કેવાં પાસે છે? ત્યારે જે અજીવ બીજ તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તો અજ્ઞાનથી એમ સમજવું, જ્ઞાનથી તે જીવ અને મોક્ષ જ પાસે છે. આ એમની કલ્પના ચાતુરી એ ઉંમરે કેટલી અસાધારણ? એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંત સંમત ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy