SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્રાજચંદ્ર – એક સમાલોચના અને ૧૨૫માં જે પચ્ચખાણ દુષ્પચ્ચકખાણ આદિ શબ્દોના અર્થ વર્ણવ્યા છે, જે રુચક પ્રદેશના નિરાવરણપણાનો ખુલાસો કર્યો છે, અને જે નિગાદગામી ચતુર્દશપૂર્વેની ચર્ચાનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ધ્યાનથી વાંચી જવું. ૨૯મા વર્ષે ભારતવર્ષીય સંસ્કૃતિને પરિચિત એવો એક જટિલ પ્રશ્ન પ્રશ્રકારની તર્ક જાળથી વધારે જટિલ બની એમની સામે ઉપસ્થિત થાય છે. પ્રશ્નનો સાર એ છે કે, આશ્રમક્રમે જીવન ગાળવું કે ગમે તે ઉંમરે ત્યાગી થઈ શકાય ? એની પાછળ મેહક તર્ક જાળ એ છે કે, મનુષ્યદેહ તો મોક્ષમાર્ગનું સાધન હેઈ ઉત્તમ છે, એમ જૈન ધર્મ સ્વીકારે છે ત્યારે પછી એવા ઉત્તમ મનુષ્યદેહનું સર્જન અટકે એવા ત્યાગમાર્ગને, ખાસ કરી સંતતિ ઉત્પન્ન કર્યા પહેલાં જ ત્યાગ સ્વીકારવાનો ઉપદેશ જૈન ધર્મ કરે તો એ વદવ્યાઘાત નથી ? આ પ્રશ્નનો ઉત્તર શ્રીમદે જૈન શૈલીના મર્મને પૂરેપૂરે સ્પર્શીને આપ્યો છે. જોકે, વસ્તુતઃ એ શૈલી જૈન, બૌદ્ધ અને સંન્યાસમાગ વેદાંત એ ત્રણેને એક જ સરખી માન્ય છે. શ્રીમનો જવાબ તે ખરી રીતે એમના જ શબ્દોમાં સમજદારે વાંચવો ઘટે. ૨૭મે વર્ષે શ્રીમને આફ્રિકાથી ગાંધીજી પત્ર લખી ૨૭ જ પ્રશ્નો પૂછે છે. તેમાં તેમને એક પ્રશ્ન તેમના શબ્દોમાં એ છે કે, “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવો ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.” (૪૪૭) આનો ઉત્તર શ્રીમદ્ તે વખતના તેમના મેહનલાલભાઈને આ પ્રમાણે આપે છે–“ સર્ષ તમારે કરડવા દે એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જે તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારે કેમ જોગ્ય હોય ? છે જુઓ આ ગ્રંથ, વિભાગ રજો, પ્રકરણ ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy