SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ “ શ્રીમરાજચંદ્ર”—એક સમાલોચના રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે એના . યથાર્થ ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષક રીતે લખવું, એ શ્રીમન્ની અસાધારણ વિશેષતા છે. એમને કોઈ ગુરુ ન હતો. હેત તો એમના કૃતજ્ઞ હાથ ઉલ્લેખ કરતાં ન ભૂલત. છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે, નાનામોટા ગમે તે પાસેથી પિતાને જોઈતું મેળવી લેતા. એ યુગમાં ગુજરાતમાં ખાસ કરી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન પરંપરામાં દિગંબરીય સાહિત્યને પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને આદરબુદ્ધિ ઉત્પન્ન કરાવનાર જે કઈ પ્રથમ વ્યક્તિ હોય, તો તે શ્રીમદ્ જ છે. જો કે મુંબઈ જેવાં સ્થળામાં, જ્યાં તેમને દિગંબર મિત્રો વિશેષ મળવાનો સંભવ હતો, ત્યાં તેમણે શ્વેતાંબર સાહિત્યનો દિગંબર પરંપરાને પરિચય થાય અને એ તરફ તેઓની રવૃત્તિ કેળવાય એ કોઈ પ્રયત્ન અવશ્ય કરેલો હોવો જોઈએ; પણ સરખામણીમાં વેતાંબર પરંપરાએ દિગંબર પરંપરાના સાહિત્યને તે વખતથી આજ સુધીમાં જેટલું અપનાવ્યું છે, કદાચ તેને શતાંશે પણ દિગંબર પરંપરાએ શ્વેતાંબરીય સાહિત્ય અપનાવ્યું નથી. તેમ છતાં એકબીજાનાં શાશ્વેનાં સાદર વાંચન અને ચિંતન દ્વારા ત્રણે ફિરકામાં એકતા ઉત્પન્ન કરવાનું અને બીજાની સમૃદ્ધિ દ્વારા પોતાની અપૂર્ણતા દૂર કરવાનું કામ આરંભવાનું શ્રેય તે શ્રીમદને જ છે,–જે આગળ જતાં પરમકૃત પ્રભાવક મંડળરૂપે અલ્પાંશે મૂર્ત રૂપ ધારણ કરે છે. પ્રાજ્ઞ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાભ જ ઉઠાવી લે છે એ ન્યાયે, શ્રીમને પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમના એક ખાસ લાભમાં જ પરિણમી; અને તે એ કે, સ્થાનકવાસી પરંપરામાં પ્રચલિત એ મૂળ આગમને અભ્યાસ એમને તદ્દન સુલભ થયો, જેમ કદાચ શ્વેતાંબર પરંપરામાં ગૃહસ્થ માટે પ્રથમથી બનવું એાછું સંભવિત છે. અને તેની અસર એમના જીવનમાં ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy