SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રને જીવનબાધ કવિતા લખવા લાગ્યા. શીઘ કવિની શક્તિ તેમનામાં હતી. તેરમે વર્ષે તેમણે રાજકેટમાં અંગ્રેજી ભણવાનું શરૂ કરેલું. તેમાં તેમણે કેટલું કરેલું એ ખબર નથી. પણ પછી તરતમાં શાળાને અભ્યાસ છોડી, ઘેર ખાનગીમાં નવા નવા વિષયોનું તે જ્ઞાન મેળવવા લાગ્યા હતા. સંસ્કૃત અને પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તેઓ તે ભાષાના ગ્રંથો સરળતાથી વાંચી લેતા ને યથાર્થ સમજતા. તસ્વજ્ઞાન એમને શોખી વિષય લાગે છે. વડદર્શન, જૈન ગ્રંથ વગેરે તેમણે વાંચ્યાં હતા, એવી માહિતી મળે છે. એમ કરતાં તેમણે પિતાના વિચારોને ઠીક ઠરેલ અને ચક્કસ કર્યા હોય એમ લાગે છે. પંદરમા વર્ષમાં લખેલા તેમના “સ્ત્રીનીતિબોધક” નામના કાવ્યગ્રંથ પરથી અને સત્તરમે વર્ષે લખેલા “બાલાવબોધ –મેક્ષમાળા’ નામની ૧૦૮ શિક્ષાપાટેની એક માળા પરથી આ અનુમાન કરાય. એ ગ્રંથમાં એમણે જે નીતિ બોધી છે અને ધર્મતત્વ પ્રતિપાદન કર્યું છે એ પંદર વર્ષના કિશોર પાસેથી, બાકી, કેમ કરીને સંભવે ? એમ કહી શકાય કે જે જ્ઞાનપ્રાપ્તિ એમણે આ વર્ષો દરમ્યાન કરી, એને અક્ષરબદ્ધ કરી ચોકકસ કરવાનું એમને સહજકુરણ થયું અને એમણે આ બે ગ્રંથો લખ્યા. એમ લખીને એમણે પિતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપ્યું અને જ્ઞાનપ્રાપ્તિની શ્રવણ આગળથી મનનની પાયરી સાધી. સાધકની શ્રવણદશા પછી આ દશા સહજભાવે આવે છે. શ્રીમના જીવનમાં એ આટલી નાની વયે બન્યું એ એમની તીવ્ર પ્રતિભાને જ આભારી ગણાય. - આ પ્રતિભાને દર્શક વિભાગ તે તેમની અવધાનશક્તિ હતી. એ શક્તિ એમણે જ્ઞાનપૂર્વક ખીલવતાં ખીલવતાં શતાવધાન સુધી પહોંચાડી ને તેને જાહેર પ્રયાગ પિતાની ૧૯ વર્ષની વયે દેખાડ્યો. તે વેળાનાં અંગ્રેજી તથા ગુજરાતી છાપાંમાં તેને માટે તેમની જે પ્રશંસા કરવામાં આવી હતી એ એટલી જ ભારે હતી. પણ પ્રશંસા અને અવધાનશક્તિને આ ઉપયોગ સાધકને આડરૂ૫ બને એ એમણે ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy