SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક અને એ દિલ નથી જે કોઈ અમૂલ્ય લાભ માટે પાગલદીવાનું ના થયું હોય. પલટૂ બડે બેવકૂફ વે, આસિક હોને જાહિ; સીસ ઉતારે હાથ સે, સહજ આશિકી નહિ. પ્રભુ-પ્રેમમાં મસ્ત બનવા – આશક બનવા – જેઓ નીકળી પડે છે (કફન માથે બાંધીને) એવા બેવકૂફ કેણ હશે? પોતાને હાથે જ માથુ ઉતારવા નીકળ્યા છે. તેવા આશિકી કાંઈ સહેલી કે સસ્તી વસ્તુ નથી. નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર?” નાવ તો મલી છે, પણ કેવટ નથી. કેમ કરીને નદીની પાર ઉતરાશે? રામને પણ કેવટે જ પાર ઉતાર્યા હતા. ભવસાગર પાર ઉતારવા માટે નાવ અને નાવિક બંનેની જરૂર છે. કેવટ એટલે સદ્ગુરુ. પલટૂ સતગુરુ સબ્દ કા તનિક ન કરે વિચાર; નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર. સદ્ગુરુના કાન ઉપર વિચાર કરો. ખોટી અકડાઈ છોડીને સદ્ગુરુનું શરણ લો. તેમના બનાવેલા માર્ગે ચાલવામાં જ ભલાઈ છે. નાવ મલી છે પણ હોંશિયાર નાવિક વિના આ નદી - ભવસાગર – પાર ના જવાય. કપાસનું દષ્ટાંત : કપાસમાંથી વસ્ત્ર બને ત્યાં સુધીની આખી પ્રક્રિયામાં કપાસને કેટકેટલી કઠણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પરમાર્થને કારણે કપાસ આ બધું સહન કરે છે. બીજાને ખપમાં આવવું છે. એ માટે બધું આનંદથી સહન કરે છે. - સંતોને પણ પાર વગરનાં કષ્ટ વેઠવાં પડે છે. અરે, મરવું પણ પડે છે. મુલ્લા-મૌલવીઓ અને ધર્માચાર્યો, મઠપતિઓ જેમણે ધર્મનો કે લીધો છે, ધર્મનો ઈજારો લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy