SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ દરિયા ભગતની વાણી [સંપા॰ ગેાપાળદાસ પટેલ, ક્રિ. ૧૦-૭૦ આ પુસ્તિકામાં ૬ પદનો સંગ્રહ છે. દરિયા ભગત એટલે બ્રહ્મજ્ઞાની, અને યોગેશ્વર એવા સંત, ભક્ત અને કવિ. રજનીશજીના શબ્દોમાં જોઈએ શું કહે છે! “દરિયા ભગતનો જ હાથ પકડો. તે તમને એ સરોવર પાસે લઈ જશે, જેના પાણીનો એક ઘૂંટડો પણ તમને સદાને માટે તૃપ્ત કરી દેશે.” ૨જી સાસ્તર ગ્યાન કી, અંગ રહી લીપટાય; સતગુરુ એકહિ સબ્દ સે, દીન્હો તુરંત ઉડાય. શાસ્ત્રજ્ઞાનની સાંભળેલી, જાણેલી, ઉધાર પાન – ૪૦ ] તથા વાસી વાતોની ધૂળ મારા શરીર પર ચાંટેલી હતી; સદ્ગુરુએ એક શબ્દથી ફૂંક મારીને તે બધી તરત દરાડી દીધી. શાસ્ત્રજ્ઞાનની ધૂળ : શાસ્ત્રજ્ઞાન એટલે અહીં બીજા પાસેથી સાંભળેલી, શીખેલી, ઉધાર, વાસી વાતો માત્ર બકવાસ. સતગુરુ તે કહેવાય જે તમે માથામાં ભરી રાખેલી શાસ્ત્રની કહેવાતી વાતો ઝાપટી કાઢે. જે તમને શાસ્ત્રજ્ઞાન આપે તે સતગુરુ નથી. સતગુરુ તો તમારું શાસ્ત્રજ્ઞાન છીનવી લે. Jain Education International - પંડિત જ્ઞાની બહુ મિલે વેદ ગ્યાન પરવીન; દરિયા ઐસા ન મિલા રામનામ લવલીન. પંડિત, ાની, વેદશાસ્ત્રના જ્ઞાતાઓ તો બહુ મલ્યા પણ સર્વત્ર રહેલા — વ્યાપી રહેલા ‘રામ’– પરમાત્માના નામમાં જ લવલીન એવા તો કોઈ ના મલ્યા. ૩૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy