SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ અત્મા ગેપાળદાસ પટેલ •૩૬૭ મધ દર્શાવે છે કે, "મારો અને તેમા (શ્રી. મગનભાઈ દેસાઈને નિકટને *સંબંધ ગૂજરાત વિદ્યાપીઠના મારા જીવનકાળથી જ આરબયે કહેવાય.” એટલે આ સંબંધ શ્રી. ગોપાળદાસ પટેલ વિદ્યાપીમાં ૪ થી ટુકડીના સ્નાતક થયા પછી વહ૬-૨૭માં શ્રી. ઝીણાભાઈ દેસાઈ, શ્રી. નગીનદાસ પારેખ જોડાયા ત્યારે વાપક તરીકે જોડાયા તે વર્ષથી ગણાવી શકાય. મગનભાઈ દેસાઇ તૈમનાથી મોટી ઉંમરના હતા. તેઓ વિદ્યાર્થીની પ્રથમ સ્નાતક "ટુકડીમાં વિધાથી હતા. તેઓ શ્રી ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે સાબરમતી આશ્રમમાં ૧૯૨૪ થી ગાંધીજીની નિશ્રામાં છાત્રાલય અને અન્ય કામગીરી સંભાળતા હતા. શ્રી ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા ક્યારે શ્રી. મગનભાઈ દેસાઈ ‘ પહેલાં ગાખાન મહેલની * પાછળ ભૂલાભાઈની ચલીના એક ઓરડીમાં રહેતા હતા. જે શ્રી. ગોપાળદાસે - તેમની પાસેથી પોતાને માટે રહેવા ભાડે લીધી હતી. મગનભાઈ દેસાઈ સાથેનાં આ રીતે પ્રથમ પરિચય શરૂ થયો લાગે છે. તેઓ આ નોંધમાં આગળ દવા છે કે, "..... હું રોજ ત્યાંથી સત્યાગ્રહાશ્રમમાં ચાલતા જતે અને ગાંધીજીની સંયભૂ પ્રાર્થનામાં જોડાતો .... પ્રાર્થના પૂરી થયે આશ્રમવાસીઓ જુદી જુદી ટેળીઓમાં ફરવા જવ ભણી નીકળી પડતા હું મગનભાઈ સાથે ૬ જાતિ .... મગનભાઈ મારી સાથે ઉસ્માનપુરા સુધી આવતા અને ત્યાંના -ગરન ઈના પુલ ઉપર મોડી રાત સુધી વાત કરતા બેસતા. પછી મગનભાઈ આશ્રમે પાછા ફરતા અને હું એલિસબ્રિજ તરફ પાછો ફરતો.” આમ તેમના સંબંધોમાં આ સમયથી ધીરે ધીરે ઘનિષ્ઠતા સ્થપાવા માંડે છે. જે ક્રમે ક્રમે વડિલ-મિત્ર, સહકાર્યકર તરીકે વિકસે છે. આ સમયમાં એટલે અંદાજે -૩૦ની આજુબાજુના સમયમાં શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં એક 2 અજબ ઘટના શ્રી. મગનભાઈને આ સાનિધ્યમાંથી વિકસે છે તે અધ્યાત્મ - ગુરુને સંપર્ક. આ વિષે શ્રી. ગોપાળદાસ પટેલે એક મૌખિક વાત દ્વારા જે રજૂઆત કરી હતી. જેને પાછળથી મૃતિને આધારે નધેિલી તે ઉપયોગી થશે. * “સ્વ૦ મગનભાઈ દેસાઈના કાકા શ્રી. કાશીભાઈ પટેલ નડિયાદમાં વકીલાત કરતા હતા. તેમને ધ્યાન કરવાની લગની લાગેલી. કોઈ મહાત્માએ તેમને ચિત્ત નિરોધ કરવાની રીત બતાવેલી તે પ્રમાણે તેઓ અભ્યાસ કર્યા ‘કરતા. પણ અંદર કશું થતું નહિ, દેખાતું નહિ, ઉપર ચડાઈ થતી નહિ. તેમણે તે મહાત્માને પોતાની મૂઝવણ દર્શાવી. મહાત્માએ કહ્યું. હું જેટલું જાણતા હતા તેટલું તને બતાવ્યું છે, વધારે મારી પાસે નથી. તેમની આ અભ્યાસ પદ્ધતિ રાજયોગને મળતી હતી. મહા-માએ કહ્યું અજમેરમાં કુંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy