SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ [શ્રી. બલવંતસિંહજી, સાબરમતી આશ્રમ તથા સેવાગ્રામ આશ્રમમાં, ૧૭-૧૮ વર્ષ સુધી, ગાંધીજીના એક નિકટતમ અંતેવાસી તરીકે રહ્યા હતા. તેના ફલસ્વરૂપ તેમને “વાહૂછી છાયા” નામનું સુંદર પુસ્તક લખ્યું છે, જે ૧૯૫૭ માં નવજીવન પ્રકાશન મંદિર તરફથી પ્રકાશિત થયું હતું. પછી એ લાંબા આશ્રામવાસ દરમ્યાન તે જે જે આશ્રમવાસીઓના પરિચયમાં આવ્યા હતા, એવા ૧૪૫ જણનાં રેખાચિત્રો તેમણે લખ્યાં છે, જે “વાપૂશ્રમપરિવાર” નામે નવજીવન પ્રકાશન સંસ્થાએ જ ૧૯૭૨ ના અંતભાગમાં પ્રકાશિત કર્યા છે. તે રેખાચિત્રો ભાવિ પેઢીઓને પ્રેરણા આપે તેવાં છે. તેમાંથી શ્રી. મગનભાઈ દેસાઈનું રેખાચિત્ર નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી અહીં ઉતાર્યું છે. તે માટે લેખક અને પ્રકાશક સંસ્થાના આભારી છીએ.] પુત્ર છે. પટેલ જયારે હું ૧૯૩૧ માં (સત્યાગ્રહ આશ્રમમાં રહેવા આવ્યો ત્યારે, મગનભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં રહેવા ગયા) હતા. મારો પરિચય તે તેમની સાથે ત્યારથી જ તે; પરંતુ બાપુજી (સત્યાગ્રહાશ્રમ છોડી) વર્ધા રહેવા ચાલ્યા ગયા ત્યારે ૧૯૩૫ માં તેમણે મગનભાઈને વધુના મહિલાશ્રમની જવાબદારી સોંપવા બોલાવ્યા અને તેમને આચાર્ય બનાવી તેની જવાબદારી સોંપી. તે અરસામાં મગનભાઈ વારંવાર બાપુજીની સાથે પોતાના કામકાજ અંગે ચર્ચા વિચારણા કરવા આવ્યા કરતા હતા. એટલે મારો એમની સાથેનો પરિચય અધિક વધતો ગયો અને તે એટલી હદ સુધી વધ્યો કે જ્યારે જ્યારે અમદાવાદ જવાને પ્રસંગ આવતા, ત્યારે મારું ઊતરવાનું નિશ્ચિત સ્થાન મગનભાઈનું ઘર જ બની ગયું. એમને પ્રેમ તો હતો જ. પરંતુ એમનાં ધર્મ પતી ડાહીબહેનને તો એમના કરતાં પણ અધિક સ્નેહ મારા ઉપર હતો. તે મને માની પેઠે પ્રેમથી ભોજન કરાવતાં. મારી એક આદત જ બની ગઈ હતી કે, જે ઘરની ગૃહિણી સાથે પરિચય ન હોય અને એને હાઈક સ્નેહ ન દેખું, એ ઘરમાં હું કદી પણ ન ઊતરતે. અને કદાચ ભૂલથી ચાલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy