SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર ગતિ અને શક્તિ પામે. આ જે પ્રચંડ શાંતિ-વિજયની સાધના, તેના એક અપૂર્વ સેનાની રવીન્દ્રનાથ હતા. એમનું યુદ્ધક્ષેત્ર માનવહૃદય હતું; અને જગતભરનાં માનવહૃદયમાં એ ઝઝયા. આવા અંગેની સ્થવ દર્શન ન હોય; એમને હિંસ દારુણતા પણ ન હોય; એના વિશે અજ્ઞાત અને સર્વતોભદ્ર હેય. એમાંથી વેરઝેર કે હતાશાની અધીરતા ન પડઘાય; એમાં જીતનાર અને હારનાર સરખા જ વિજયમત્ત બને. આવા વિજયો સામાન્ય તવારીખમાં પણ નથી ચડી શકતા; દુગહૃદય પર તે અંકિત હોય છે. રવીન્દ્રનાથ એના આંકનાર હતા. હિંદનાં કેટકેટલાંય ક્ષેત્રમાં કામ કરી રહેલા કર્મવીરનાં હદયસિચન એમણે પિતાનાં ગાન, કવન, લેખન, ભાષણ અને નવલકથનથી કયી હશે, એનું વરતીપત્રક છે? આજે એ ગયા છે ત્યારે એ આપોઆપ દેખાય છે – હિંદમાં અને પરદેશમાં સૌને એમની ખોટ જણાય છે. પણ એ ખોટ કરતાં તે એમણે જે આપ્યું એની પૂર્ણતા ચડે છે. એને માટે પ્રભુને ધન્યવાદ આપીએ. અને નહિ કે એમની અપૂર ખોટ માટે રહીને આપણે પાજીપણું બતાવીએ. [સપ્ટેમ્બર ૧૫૧] દીનબંધુ એન્ડ્રુઝ દીનબંધુના સ્વર્ગવાસના ખબર સાંભળી એક મિત્રે કહ્યું તે સાવ સાચું છે કે “અંગેજ પ્રજા પર ક્રોધ આવે તો દીનબંધુનું સ્મરણ કરતાંવેંત તે ઓગળી જાય એવા ખાનદાન અને ઉદાર દિલના એ અંગ્રેજ માનવસેવક હતા. | દીનબંધુનું જીવન એટલે પવિત્રતા, સેવાપરાયતા, ભૂતદયા, અને વ્યાપક સહાનુભૂતિને એક અખૂટ કરો. એમના જીવનના પ્રારંભથી જ એમણે નક્કી કરી લીધુ હતું કે, મારે ઈશુ ખ્રિસ્તનું અનુસરણ કરવું છે. એ મહાન સંકલ્પને તે આમરણ વફાદાર રહ્યા. તેને ખાતર તે રંગ, રાગ અને જાતિ તથા દેશનાં માનવી બંધને સામે ઝૂઝયા અને જીત્યા. એક પાદરી અધ્યાપક તરીકે આપણા દેશમાં એમણે જીવનને પ્રારંભ આજથી ૩૫ વર્ષ પર કર્યો. પણ આવતાંવેત તે પામી ગયા કે, ખ્રિસ્તને નામે કામ કરનારા તેને ઇન્કારીને જ વર્તે છે કે શું? નાના મોટા અનેક Jail Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy