SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાપીઠના આજીવન સેવક અને અંતે કહે : ' આ સ્થિતિ છે, હવે આપ સૌને જેમ ઠીક લાગે તેમ કરો; મેં તો કામ બગડે નહીં, પ્રગતિ થાય, નુકસાન ના થાય તે સારુ આ સૂચવ્યું છે. ખૂબ વિચાર કરીને, સર્વ દષ્ટિએ ધ્યાનમાં રાખીને ફાવે તેમ કરી; પણ નામંજૂર કરશે। તે કામમાં બાધા પહોંચશે એનુ પણ ધ્યાન રાખજે; મારે તે આપ સૌ કહેશેા તેમ કરવાનું છે, પણ મારી ફરજ મારે બજાવવી જેઈએ એટલે આ વાત રજૂ કરી છે. • અશિન...દન ગ્રંથમાંથી] ગોકુલભાઈ ભટ્ટ વિદ્યાપીઠના આજીવન સેવક શિક્ષળ અને સાહિત્ય માસિક (પાછળથી નવજ્ઞીવન)ના તે તંત્રી થયા. ગાંધીજી જેમના આઘ તંત્રી હતા તેવાં બિન પત્રાના પણ તંત્રી થયા. આ બધી જવાબદારી તેમણે કુશળતાથી અદા કરી, વળી તે ક્ષેત્રથી આગળ વધી તે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા, મુંબઈ વિધાન પરિષદના સભ્ય થયા, અને અખિલ ભારત ભાષાપંચમાં નિમાયા. ઉપરાંત તેમણે જુદા જુદા વિષયો પર સારા પ્રમાણમાં પુસ્તકો પણ લખ્યાં છે. આ બધી તેમની કારકિર્દી ઉપરાંત તે કદાચ ઘણા ઊંચા માનવંતા સ્થાને પણ પહોંચી ગયા હોત, છતાં તેમની ષષ્ટિપૂતિ પ્રસંગના સન્માનગ્રંથમાં તેમના વિષે લખવાના મને ઉમળકો ન થયા હાત. તે સમાજરૂપી વૃક્ષની કેવડી ઊંચી કક્ષાએ પહેોંચ્યા, તે જેવામાં મને રસ નથી. ઘણી તેજસ્વી બુદ્ધિશાળી વ્યક્તિ સમાજના શિખરે અકસ્માત બેઠી હોય છે, તેમને અંજલિ આપવાનો ઉમળકો હ્રદયમાં થઈ આવતા નથી. પણ દેશસેવાના પાતાના નાના ક્ષેત્રમાં કોઈ તે ક્ષેત્રના ધ્યેયનિષ્ઠ સેવક તરીકે અડીખમ થઈને દટાઈ ગયા હોય, તે સેવક માટે હરકોઈના હૃદયમાં આદર ઊપજે અને તેવાની સેવાનું સ્મરણ કરવામાં હૈયાને ઉમળકા થાય, એ સ્વાભાવિક છે. કેટલી સત્તાશીલ છે, વ્યક્તિ કેટલી બુદ્ધિશાળી છે, કેટલી વિદ્વાન છે, કેટલી પ્રભાવસંપન્ન અને સાધનાસંપન્ન છે, એ બધા સ્વીકારવા કાર્યમાં તેની એકનિષ્ઠા, તેમ જ જીવનની મહત્ત્વાકાંક્ષા ત કરતાં તેનું ચારિત્ર્ય, સ્વીકારેલા ધ્યેયની સિદ્ધિ ખાતર તેના પાયાની નક્કર સ્થાન અચલિતપણે સાચવી રાખવાની દૃઢતા – એની Jain Education International For Private & Personal Use Only ઈંટ તરીકે પેાતાનું કિંમત મારે મન www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy