SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કાશી પહોંચ્યા ઉપાશ્રયમાં નિયમિત જવાથી અને સાધુસાધ્વીઓના સંપર્કથી પંડિતજીને સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓ કંઠસ્થ કરવાનો સારો મહાવરો થવા લાગ્યો. અર્થ તરત ન સમજાય, પણ જેમ જેમ મહાવરો વધતો ગયો તેમ તેમ કેટલાયે સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોના અર્થ તેમને આવડવા લાગ્યા. પરિણામે સંસ્કૃત ભાષા માટે પંડિતજીને આદર અને રુચિ થવા લાગ્યાં હતાં. - પંડિતજીની આંખે અંધત્વ આવ્યું તે પછીના અરસામાં, વિ. સં. ૧૯૫૯-૬૦ (ઈ. સ. ૧૯૦૩-૦૪)માં ભાવનગરથી પ્રકાશિત થતા જૈન ધર્મપ્રકાશ' નામના સામયિકમાં એવા સમાચાર છપાયેલા કે ગુજરાતમાંથી શ્રી ધર્મવિજ્યજી નામના એક મુનિ મહારાજ પોતાના ચેલાઓ તથા વિદ્યાર્થીઓને લઈને કાશી જવાના છે અને ત્યાં તેઓને રાખીને સંસ્કૃત ભાષા, સાહિત્ય અને શાસ્ત્રોમાં પારંગત કરવાના છે. આ સમાચારની જાણ થતાં પંડિતજીને કાશી જઈ સંસ્કૃત ભાષા-સાહિત્યનો અભ્યાસ કરવાની ઝંખના થઈ. પરંતુ ઠેઠ કાશી સુધી જવું અને રહેવું એ અંધત્વને કારણે પંડિતજી માટે ઘણું મુશ્કેલ હતું. એટલે પોતાની ઈચ્છા પિતાજી કે મોટા ભાઈ આગળ વ્યક્ત કરતાં તેમને સંકોચ થતો હતો. પોતાની અભિલાષાને પંડિતજી મનમાં જ સમાવી રાખતા. પરંતુ ત્યાર પછી પંડિતજીએ વિચાર્યું કે પોતાને આવી સ્થિતિમાં કાશીમાં મુનિ ધર્મવિજયજી રાખે કે કેમ એ પહેલાં જાણી લેવું જોઈએ અને એ પણ ગુપ્ત રીતે જાણવું જોઈએ. જો એમની હા આવે તો તે પછી જ વડીલોને એ વિશે વાત કરવી જોઈએ. એ માટે પંડિતજીએ ગુપ્ત રીતે એક મિત્ર દ્વારા પત્ર લખીને મિત્રના સરનામે જવાબ આવે એ રીતે પત્રવ્યવહાર કર્યો. કાશીથી મુનિ ધર્મવિજયજીનો જવાબ આવ્યો કે “તમે ભલે આંખે ન દેખી શકતા હો, છતાં કાશી આવી શકો છો, વીરમગામથી કેટલાક વિદ્યાર્થીઓ કાશી આવવાના છે. એમની સંગાથે તમે આવજો. એ માટે તમે વીરમગામ જઈને ત્યાં “કાશી જૈન પાઠશાળા'ની ઓફિસમાં એના સેક્રેટરીને મળજો, હું પણ તેમને સીધી સૂચના લખું છું.' મુનિ ધર્મવિજયજીની સંમતિ મળતાં પંડિતજી અત્યંત રાજી થયા અને ઉત્સાહમાં આવી ગયા. મનમાં પાકો નિર્ણય કર્યો કે ઘરનાં લોકો ગમે તેટલો વિરોધ કરે તોપણ તેની દરકાર ન કરતાં અવશ્ય કાશી જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001208
Book TitlePandita Sukhlalji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy