SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૫૯ પ્રો. રાજવાડે મળેલા પણ એમની મુલાકાત મારા માટે તો કૌશાંબીજી પ્રત્યેના આકર્ષણમાં પરિણમી. જોકે હું મળે ત્યાંથી મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ વામ મેળવી મારી જિજ્ઞાસા અલ્પાંશે સંતોષતો હતો, છતાં તક મળે ત્યારે કૌશાંબીજી પાસે બૌદ્ધ વામય શીખવાની ઉત્કટ વૃત્તિનાં બીજો રોપાયે જતાં હતાં. હું કાશી છોડી ૧૯૨૧માં અમદાવાદ આવી ગયેલો અને ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં રહેતો; પણ હજી લગી હું એ સંસ્થામાં સેવક તરીકે જોડાયો ન હતો. પુરાતત્ત્વમંદિરના બધા જ વિશિષ્ટ અધિકારીઓ મને એમાં જોડાવા કહેતા, પણ હજી લગી હું એ સંસ્થામાં તટસ્થ રહીને જ કામ કર્યે જતો. ૧૯૨૨ના છેલ્લા ભાગમાં પૂના બેઠાં મને સમાચાર મળ્યા કે કૌશાંબીજી પુરાતત્ત્વમંદિરમાં નિમાયા છે. આ સમાચાર વીજળિક અસર કરી અને હું પુરાતત્ત્વમંદિરમાં જોડાવાના નિર્ણય ઉપર આવી ગયો ને જોડાયો. હવે હું કૌશાંબીજનો સહવાસી બન્યો. મારું પુરાતત્ત્વમંદિરમાંનું કામ તો જુદું જ હતું, પણ આ સહવાસીની તકે મને એમનો અંતેવાસી પણ બનાવ્યો. કૌશાંબીજી પાસે બૌદ્ધ પાલિ ગ્રંથો શીખવાની શરૂઆત તો પુરાતત્ત્વમંદિર અને મહાવિદ્યાલયના કેટલાક અધ્યાપકોએ કરેલી, પણ હું જાણું છું ત્યાં લગી તેમની પાસેથી સતત શીખવાનો યોગ મારા જ ભાગ્યમાં લખાયો હતો. એક બાજુ હું એમની પાસે બૌદ્ધ ગ્રંથો શીખતો અને બીજી બાજુ અનેક વિષયોની એમની સાથે ચર્ચા કરતો. ફરવા જતી વખતે કૌશાંબીજી પોતે જ મારો હાથ પકડી લે અને મારા પૂછેલા કે અણપૂછેલા સવાલો વિષે અનેકવિધ ચર્ચા કરે. તેઓ જે બૌદ્ધ વિષયો મરાઠીમાં લખાવે કે ગ્રંથ રચે તે મને પ્રથમ સંભળાવે. તેઓ મારી સૂચના ઉપર ધ્યાન આપતા. મારી શંકાનું સમાધાન પણ કરતા. મને આ નિમિત્તે ખૂબ જાણવાનું મળતું. આ ક્રમ ઘણું કરી પાંચેક વર્ષ ચાલ્યો હશે. ત્યારબાદ તેઓ રશિયા ગયા ને થોડા વખત માટે એ ક્રમ તૂટી ગયો. કૌશાંબીજી સાથે મારો સહવાસ માત્ર અધ્યયન-અધ્યાપન પૂરતો જ ન હતો પણ તે લગભગ ચોવીસે કલાકનો રહેતો. તેઓ મને જીવન-વ્યવહારના અનેક પ્રસંગોમાં મિત્રની પેઠે મહત્ત્વની સૂચના આપતા. નાહવા કે ખાવામાં કે એવી બીજી બાબતોમાં કાંઈ પણ કહેવું હોય તો નિઃસંકોચ કહેતા. કૌશાંબીજીના સ્વભાવમાં કડકાઈનું તત્ત્વ બહુ ઉગ્ર હતું. એને લીધે કેટલીકવાર ઘણા નિકટના મિત્રો સાથે પણ તેઓ અથડામણીમાં આવતા. હું પણ એ અથડામણીનો સાવ અપવાદ રહ્યો છું એમ તો ન જ કહી શકાય; પણ એવે પ્રસંગે હું સાવ મૌન રહી જતો; કારણ કે મેં એમની કડક પ્રકૃતિમાં નિખાલસપણાનું અને ક્ષણિકપણાનું તત્ત્વ બરાબર જાણી લીધેલું. કૌશાંબીજી પણ થોડીવારમાં ઠેકાણે આવી જતા. મોળા પડી જતા અને ઘણીવાર “પંડિતજી એવા મધુર આમંત્રણથી સંબોધી માફી પણ માંગતા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy