SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ • અર્થ ન સમજ્યા, ત્યારે તેમણે પોતે જ તે માનવકૃત વ્યવસ્થાઓને પાર પામી ન શકાય એવી અગાધ માની લીધી, ચંચુપાત ન થઈ શકે તેવી અફર માની લીધી. પરંતુ જે વિચારક અને વિદ્વાન છે તે એ વ્યવસ્થા-પ્રતિપાદક શાસ્ત્રોને ચંચુપાત ન થઈ શકે તેવાં કે અફર શી રીતે સમજશે? કિશોરલાલભાઈ પણ બીજા પ્રતિપાદન દ્વારા એ જ ભાવ સ્પષ્ટ કરે છે, એમ લાગે છે. સત્યની કેવી બલિહારી છે કે તે હજારો વર્ષને અંતરે થયેલ બે જુદી જુદી વ્યક્તિઓની વિચાર-ભૂમિકાઓમાંથી એકસરખી રીતે આવિર્ભાવ પામે છે? સાધુ શાંતિનાથ જે બંગાળી હતા અને હમણાં જ ગુજરી ગયા, તેમણે લાંબો વખત યોગાભ્યાસ કરી છેવટે તેને ભ્રાંતિજનક સમજી છોડી દીધો. તત્ત્વજ્ઞાનના અનેક વિચારપ્રવાહોમાં ઊંડી ડૂબકી માર્યા પછી પણ તેમને તેમાં બહુ વજન આપવા જેવું ન લાગ્યું અને છેવટે તે માનવીય ઉત્કર્ષ માટેની સમુચિત સેવામાં જીવનનું સાર્થક્ય છે એવા નિર્ણય પર આવ્યા. જ્યારે કિશોરલાલભાઈ યોગ અને તત્ત્વજ્ઞાનને માર્ગે ઠીક ઠીક પ્રવાસ ખેડડ્યા છતાં યોગ અને તત્ત્વજ્ઞાનની જીવનપ્રદ બાજુને સ્પશ્ય અને એનો માનવીય ઉત્કર્ષની દૃષ્ટિએ આવશ્યક સેવાકાર્યમાં કેમ વિનિયોગ થઈ શકે એ તત્ત્વ પણ પામ્યા. “સમૂળી ક્રાંતિમાં એમણે એ જ તત્ત્વ રજૂ કર્યું છે. સમૂળી ક્રાંતિ' ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્થાન પામવાને દરેક રીતે પાત્ર છે. અધ્યાપકો પોતે પણ એમાંથી ઘણાં નવાં દૃષ્ટિબિંદુ મેળવી શકે તેમ છે; અને ઉચ્ચ કક્ષાના ઊગતા તરુણોને તો પોતાના સંસ્કારશોધનમાં તે ભારે મદદ કરી શકે તેમ છે. જો એક વાર વિદ્યા-જ્ઞતમાં આવું પુસ્તક વંચાતું – વિચારાતું થાય તો તે દ્વારા શરૂઆતમાં શિક્ષિત ગણાતા વર્ગની ઘણી જ પરંપરાગત, રૂઢ અને અવિવેકમૂલક માનસગ્રંથિઓ શિથિલ થવા પામે અને એનો ચેપ સાધારણ – શિક્ષિત અને અશિક્ષિત સુધ્ધાંને પણ લાગ્યા વિના ન રહે. જ્ઞાન એક એવું અખંડ અને ગ્રંથિભેદક ઝરણું છે કે તે એકવાર ગમે તે સ્થાને ઉદ્દભવ્યા પછી ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રસરતું જાય છે અને વચ્ચે આવતા અંતરાયોને ભેદી તે લોકમાનસને વિવેકના ઊંચા સ્તર ઉપર મૂકે છે. તેથી હું એવી વિનંતી કરું છું કે દરેક સમજદાર ‘સમૂળી ક્રાંતિ એકવાર તો વાંચે જ. એક વાર મારા મિત્ર એક આઈ. સી. એસ. મહાશયે મને કહ્યું કે તમે આર્યસંસ્કૃતિ વિશે કાંઈક લખો તો ઠીક. મેં કહ્યું, “હું આર્યસંસ્કૃતિનો એવો વિશિષ્ટ અભ્યાસી તો નથી, અલબત્ત, એના એકાદ અંશને સ્પર્શવાનો થોડો ઘણો પ્રયત્ન કર્યો છે. ક્યારેક એ વિશે લખવાના પણ વિચારો આવે છે, પણ પાછો સંકોચાઉં છું. તેમણે પૂછ્યું, “સંકોચ શા માટે ? આનો ઉત્તર આપતાં મેં મારા વિચારો દર્શાવ્યા તે અહીં ટૂંકમાં નોંધવાની તક લઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy