SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા ૦ ૧૩૯ માથું દબાવતાં હોય કે પગ. આ સેવાવૃત્તિ પણ તેઓની કાંઈ કળિયુગી નહોતી. કળિયુગમાં સ્વજનો સાથે અણબનાવ અને પરજનો સાથે સ્નેહ હોવાનો જે નિયમ કહેવાય છે તે આ બાઈમાં કદીયે કોઈએ અનુભવ્યો હશે એમ હું નથી માનતો. એ બાઈ તો સસરાનું કામ હોય કે સાસુનું જેઠાણીનું હોય કે જેઠનું, ભાઈઓ, ભોજાઈઓ કે બીજાં ગમે તેનું કામ હોય, માત્ર કર્તવ્યબુદ્ધિથી તેને કરી જ છૂટે. ખરેખર એ બાઈએ વિનય, મૈત્રી અને અર્પણવૃત્તિની પારમિતા સાધેલી. પણ એ બાઈના જીવનમાં બીજો એક અસાધારણ ગુણ એવો હતો જે બહુ જ ઓછાં સ્ત્રી – પુરુષોમાં હોય છે. તે ગુણ જિજ્ઞાસાનો-વિદ્યા મેળવવાનો અઢારવર્ષ પહેલાંના મારા પ્રથમ પરિચય વખતે મેં એ બહેનને સંસ્કૃતનો અભ્યાસ કરતા પાલણપુરમાં જોયેલાં. આજકાલના અભ્યાસનો, શારીરિક કામકાજ છોડી આરામવૃતિ શોધવાનો દોષ એ બાઈમાં અંશ પણ નહોતો. ઘેરે ઘરના કામમાં અને બીજા વખતે સતત અભ્યાસ કરતાં મેં જોયેલાં તેઓની આ જિજ્ઞાસાવૃત્તિ પાલણપુરની કોડીબંધ બહેનોમાં અને લઘુ કન્યાઓમાં દાખલ થયેલી. બધી બહેનોને એ બહેન ભણાવે. ભણવા પ્રેરે અને દુઃખી વિધવાઓને સાચો દિલાસો પણ આપે. પાલણપુરની કન્યાશાળા એ તે વખતેની બધી જૈન કન્યાશાળાઓમાંની આકર્ષક અને આદર્શ શાળા. અનેક કન્યાઓ સંસ્કૃત ભણે, શુદ્ધ બોલે, અન લખે. આ બધું વાતાવરણ એ લાડુબહેનના અનુકરણનું પરિણામ હતું. લાડુબહેન તો કાવ્ય, ન્યાય, કર્મગ્રંથાદિ પ્રકરણો, હિંદી અને છેવટે થોડું અંગ્રેજી સુધ્ધાં શીખેલાં. તેઓ મુંબઈમાં જાય કે કલકત્તા, પૂના હોય કે અમદાવાદ, કોઈ સંસ્થામાં ગયા હોય કે કુટુંબને ત્યાં તેઓનો સ્વાધ્યાય છૂટે જ નહિ. કામ કરવું અને અભ્યાસ કરવો એ બે તેઓની ડાબી-જમણી આંખ હતી. છેલ્લા વર્ષની ચિત્તભ્રમની સ્થિતિમાં પણ એ બે ગુણો સતત જાગતા આ લેખકે અનુભવ્યા છે. અનેકવાર મનાઈ કર્યા છતાં ઊંઘ ન આવે ત્યારે લગભગ આખી રાત બેસી કાંઈ ને કાંઈ વાંચતાં તેઓને જોયાં છે. ચિત્તભ્રમ વખતે પણ સ્મૃતિ તો અદ્દભુત હતી. ઇંગ્લિશ અને સંસ્કૃત વાચન મારા માટે કરતાં હોય ત્યારે ઘણીવાર અર્થકલ્પના તેઓની જ કામ આપે. પણ આ ઉપરાંત તેઓએ ઉપરનું સાહિત્ય વાંચવાની તકપણ જતી કરી ન હતી. છેલ્લા માસમાં, આશ્રમમાં ચાલતા હિંદી કલાસમાં તે જતાં. હિંદી લેખન, વાચન અને અર્થજ્ઞાન જોઈ શિક્ષક સુરેન્દ્રજીને કહેવું પડેલું કે લાડુબહેન તો સ્વયં શિક્ષિકાપદને યોગ્ય છે. સત્યાગ્રહ આશ્રમનું એક પણ સ્ત્રી, પુરુષ કે બાળક એવો ભાગ્યે જ હશે. કે જે લાડુબહેનને ન જાણતું હોય. આટલી બધી શક્તિઓની જાગૃતિ છતાં દુર્દેવે તેઓના મનમાં એક જ ભ્રમ થઈ આવ્યો અને તે એક મારું જીવન નિરર્થક છે. આ ભ્રમ એ તેઓનો કાળ હતો એમ કહેવું જોઈએ. તેઓના ગુણથી મુગ્ધ થયેલાં તેઓનાં માત્ર કુટુંબીઓ જ નહિ પણ તેઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy