SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ - અર્ધ્ય કા૨ણે એને અમલમાં લાવવાનું કામ રહી જ ગયું છે. હું નથી જાણતો કે અત્યારે વિદ્યાલયમાં રસ ધરાવનાર અને શ્રી મોતીભાઈના દૃષ્ટિબિંદુને બરાબર સમજનાર તેમજ તેને સ્થિર કરવા ઇચ્છનાર કોઈ હવે એ યોજના અથવા એવી બીજી કોઈ યોજનાને સક્રિય કરવા વિચારતો હશે કે નહીં. પણ એટલું તો ઇચ્છું અને કહી શકું છું કે, શ્રી મોતીભાઈની વિદ્યાલય પ્રત્યેની નિષ્ઠા, અને ધર્મ-સાહિત્યની પ્રીતિને કાયમ કરવા તેમજ જૈન સમાજનું ધાર્મિક દૃષ્ટિબિંદુ ઉન્નત કરવા માટે આવી સંસ્થા દ્વારા એવું કામ જરૂરી છે. શ્રી મોતીભાઈનાં વ્યાખ્યાનો જુદે જુદે પ્રસંગે સાંભળેલાં ખાસ કરી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તો તેમનું નિયત વ્યાખ્યાન સાંભળવા મળતું. તેઓનું વ્યાખ્યાન સાવ સાદું રહેતું; એમાં વાગ્મિત્વની છાપ ન રહેતી. પણ એમનાં માહિતીપૂર્ણ કેટલાંક લખાણોને લીધે મારા મન ઉપર તેમના પ્રત્યેના વિશિષ્ટ આદરની છાપ પડી છે. આટલા બધા વ્યવસાયો અને વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ કેટકેટલું વાંચે અને લખે છે તે મને હંમેશાં હેરત પમાડતું. એમના મકાને ક્યારેક તો તો જાણ થતી કે તેઓ કેટકેટલાં પુસ્તકો સંઘરે અને વાંચે છે. સાંજે મરીનડ્રાઇવ ઉપર ફરવા જતો હોઉં ને કોટમાંથી પાછા ફરતાં મળે તો હસીને કાંઈ ને કાંઈ વાત કરે, અને કહે કે આટલું ચાલીને આવું છું તેથી વ્યાયામ પણ મળી રહે છે ને વિચારો કરવાની તક પણ મળે છે. તેમની ટીકા પણ મેં તેમની સામે કેટલીક વાર કરી હશે. પણ મને યાદ છે કે મેં તેમનો રોષ જોયો નથી. એક વા૨ હું હૉસ્પિટલમાં હતો. ઑપરેશન થયેલું. મને વ્યથામાં જોઈ એક દિવસે તેમણે કહ્યું કે અત્યારે જ સમાધિનો સમય છે. જ્યારે તેઓ પક્ષાઘાતથી પીડાયેલા ને કાંઈક સ્વસ્થ થયા ત્યારે હું તેમને મળવા ગયો. મેં વળી મારી ઢબે એ જ સમાધિની અને સમાધિમરણની વાત કાઢી કે હવે તમારો પરીક્ષાસમય છે. આજે જ્યારે તેમના વિષેનાં મારાં આછાં અને પાખાં સ્મરણો આલેખું છું ત્યારે તેમની મધુર હાસ્યમૂર્તિ અને મારા પ્રત્યેનો નિખાલસ વ્યવહાર તેમજ તેમની અનેક ક્ષેત્રોમાં કામ કરવાની હોંશ અને તાલાવેલી એ બધું માનસપટ ઉપર અંકિત થાય છે. કૉન્ફરન્સની ઑફિસમાં કેટલાક કામસર જવુ પડતું અને ત્યાં મિટિંગ હોય તો હાજર પણ રહેતો. એમાં જે કામનો સંબંધ શ્રી મોતીચંદભાઈ સાથે આવતો તેમાંથી એક્કે કામને તેમણે ટાળ્યું હોય કે બેદરકારી બતાવી હોય એમ મને યાદ નથી. ઘણાં વર્ષ અગાઉ તેમના વિષે જે મારો અભિપ્રાય બંધાયેલો કે તેઓ વિધાયક પ્રકૃતિના છે તે જ તેમના જીવનમાંથી જોવા પામ્યો છું. · શ્રી જૈન ધર્મપ્રકાશ, વૈશાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy