SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ૦ અર્થ તેટલો વધારે વખત આપીને પણ અનેક વાતો ઉપસ્થિત સભ્યો સમક્ષ એવી ખૂબીથી કરે કે સહેજે ઊઠવાનું મન જ ન થાય. એમની બધી વાતોનો સામાન્ય સૂર એક જ અને તે એ કે જે કામ અનેક જણે સાથે મળી કરવાનાં હોય તેમાં અરસપરસ પૂરો વિશ્વાસ કેળવવો જોઈએ. કાંઈ ગૂઢ નહિ અને કાંઈ અન્યથા નહિ મને તેમના આ સૂરમાં ગાંધીજીનો જ સૂર સંભળાતો. સભાનું કામ પતે ત્યારે દાદા કાર્યકર્તાઓને અને સભ્યોને એક વાત અકૃત્રિમ રીતે નમ્રપણે કહેતા, કે વિદ્યાના ક્ષેત્રમાં તમે જે જે કામ કરો છો તે બધા તે તે ક્ષેત્રમાં નિષ્ણાત છો. હું એ ક્ષેત્રનો માનવી નથી. એટલે તમારા ક્ષેત્ર પરત્વે ઊંડાણમાં ઊતરી વિશેષ સૂચના ન કરી શકું, પણ બીજા ક્ષેત્રમાં પડ્યો છું છતાં વિદ્યા વિશેનો મારો રસ જરાય ઓછો નથી. તેથી હું મારી ફરજ એટલી જ સમજું છું કે વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનારાઓને બને તેટલી વધારેમાં વધારે અનુકૂળતા કરી આપવી અને તેમને સાધન પૂરાં પાડવાં. મેં તેમના આ વિચારને જીવનમાં સાકાર થતો સદા અનુભવ્યો છે. દાદાની એક વિશેષતા તેમની સ્પષ્ટ દૃષ્ટિ ઉપરાંત તેમની ઉદારતામાં પણ જોયેલી. ઉદારતા પણ અનેકમુખી. સંપ્રદાય કે પંથનો સંકુચિત ચેપ તો હોય જ શાનો? પણ સામાન્ય રીતે ઘણી મોટી વ્યક્તિઓમાં અનુભવાય છે તેવો સંસ્થા પ્રત્યેનો સંકુચિત દષ્ટિકોણ પણ કદી મેં ન જોયો. આમ તેઓ સીધી રીતે ગુજરાત વિદ્યાસભા ને તેને આશ્રયે ચાલતી બીજી સંસ્થાઓના મુખિયા હતા, પણ તેઓ અવારનવાર સાચી રીતે કહેતા કે ગુજરાત વિદ્યાસભા હોય કે ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વવિદ્યાલય હોય કે વલ્લભવિદ્યાનગર, વડોદરા યુનિવર્સિટી હોય કે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ (સણોસરા, સૌરાષ્ટ્ર) – એ બધી સંસ્થાઓ મારે મન એક જ કામને પોતપોતાની રીતે આગળ વધારનારી હોઈ તેમાં હું મૂળગત એકતા જોઉં છું. અને તેથી સીધી રીતે જ્યાં જોડાયો ન હોઉં ત્યાંનું હિત પણ મારા મનમાં વસે છે. પટાવાળાથી માંડી શિક્ષક, અધ્યાપક અને અધ્યક્ષ સુધીના બધા જ કાર્યકર્તાઓ પરસ્પર સદ્દભાવથી કેવી રીતે સંકળાઈ રહે અને સંસ્થા પ્રત્યે સૌ કેવી રીતે વધારે નિષ્ઠાવાન રહે એ ધ્યેય મનમાં રાખી અનેક નિર્ણયો એઓ કરતા. એવા નિર્ણયો કરતી વખતે પાઈપાઈનો હિસાબ ચોકસાઈથી તપાસનાર દાદા બહુ જ મોટું મન રાખી કામ કરતા. આને પરિણામે ભો. જે. વિદ્યાભવન અને બ્રહ્મચારીવાડીમાં કામ કરનાર શિક્ષકઅધ્યાપકનો મોટો વર્ગ નિષ્ઠાના અને સદ્ભાવના સળંગસૂત્રમાં સંકળાઈ આજ લગી કામ કરતો રહ્યો છે. ગાંધીજીની હયાતી વખતે તેમની દોરવણી પ્રમાણે કામ કરનારને જેમ ગાંધીજીમાં છેલ્લી હૂંફ અનુભવાતી તેમ ગુજરાત વિદ્યાસભાના આ વર્તુળના કામ કરનાર વિશે પણ મેં જોયું કે સૌના દિલમાં દાદાનું શું સ્થાન છે. આર્થિક અને બીજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy