SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ • પરિશીલન જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે તેવી રીતે આર્યજન પડદા વિના પણ, બોલે કે મૌન રહે તોય, શોભે છે.' “આર્ય હોય તે નિર્વસ્ત્ર હોય કે કુશ-ચીવરધારી હોય, અગર જીર્ણ વસ્ત્રધારી કે દુર્બળ શરીરધારી હોય, છતાં તે ગુણવાન હોવાથી પોતાના તેજથી જ શોભી ઊઠે જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું મલિનવૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણો ધરાવતો હોય તોય નથી શોભતો.” જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલ, પણ ઝેરથી ભરેલ ઘડાની પેઠે બધાને માટે હંમેશાં અદર્શનીય છે.’ જે આર્યો દરેકના પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે.” જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી શોભે છે તેવાઓનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે.’ જેઓ શરીર, વચન અને ઇન્દ્રિઓમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે તેવાઓ માટે મોઢું ઢાંકવું કે પડદો કરવો નકામો છે.' જેઓનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણો કે સત્યભાષિતા નથી તેવાઓ જો ઢગલાબંધ વસ્ત્રોથી પોતાની જાતને ઢાંકે તોય ખરી રીતે તે પોતાના દોષોને જ ઢાંકે છે. અર્થાત્ તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નશિરોમણિ નાગડાઓના જેવા જ વિચરે છે.” જે આર્યનારી ઇન્દ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હોઈ બીજા કોઈ પુરુષનો વિચાર સુધ્ધાં કરતી નથી તેવી આર્યા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે, પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોટું ઢાંકવું, લાજ કાઢવી એ નિરર્થક છે.” “વળી, બીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્માઓ અને દેવગણો મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે. તો પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે? હું જેવી છું તેવી ઋષિઓ અને દેવોની નજરમાં દેખાઉં જ છું – પછી મુખાવગુંઠન હોય કે ન હોય.' - ગૃહમાધુરી, જુલાઈ, ૧૯૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy