SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૫૭ દર્શાવું છું તે તો અત્યારે જ જાણી અને અનુભવી શકાય તેવાં છે. તો તેની સાથે આવા અકળ પ્રશ્નોનો શો સંબંધ છે? તેથી, હે માલુક્યપુત્ર, મેં જે પ્રશ્નોને અવ્યાકૃત કહી બાજુએ રાખ્યા છે તેની ચર્ચામાં શક્તિ ન વેડફ અને મેં જે પ્રશ્નો વ્યાકૃત તરીકે આગળ રજૂ કર્યા છે તેને જ સમજ અને અનુસર.” ઉપર લખેલી કેટલીક કંડિકાઓ જ બુદ્ધનું ઉપનાકૌશલ સ્પષ્ટ દર્શાવે છે. તેથી એ દર્શાવવા વધારે ઉપમાઓ ન આપતાં એક ઉપયોગી અને સચોટ મનોરમ ઉપમા આપવી યોગ્ય ધારું છું. ક્યારેક અરિષ્ટ નામનો એક ભિક્ષુ બુદ્ધના ઉપદેશનો વિપર્યાસ કરી લોકોને ભરમાવતો. ત્યારે અરિષ્ટને બોલાવી બીજા ભિક્ષુઓ સમક્ષ બુદ્ધ ઉપમા દ્વારા જે વસ્તુ સૂચવી છે તે જીવનના દરેક ક્ષેત્રે, સૌને માટે, એકસરખી ઉપયોગી છે. બુદ્ધ કહે છે કે, પ્રતિષ્ઠિત ગણાતાં ગમે તેટલાં શાસ્ત્રો ભણી જાય, મોઢે બોલી જાય, પણ એનો સાચો ભાવ પ્રજ્ઞાથી ન સમજે, માત્ર એનો ઉપયોગ ખ્યાતિ મેળવવામાં કે આજીવિકા કેળવવામાં કરે, તો એ પોપટિયું જ્ઞાન ઊલટું તેને ભારે નુકસાન કરે. જેમ કોઈ મદારી મોટા સાપને પકડે, પણ તેનું પૂંછડું કે પેટ પકડી મોઢું ન દબાવે તો એ સાપ ગમે તેવા બળવાન મદારીને પણ ડંખે, અને તેની પકડ નકામી નીવડે. તે જ રીતે પ્રજ્ઞાથી. તેનો ખરો અર્થ અને ભાવ જાણ્યો ન હોય એવાં શાસ્ત્રોનો લાભ-ખ્યાતિ માટે ઉપયોગ કરનાર છેવટે દુર્ગતિ પામે. આથી ઊલટું, જે પુરુષ પ્રજ્ઞા અને સમજણથી શાસ્ત્રોનો મર્મ યોગ્ય રીતે ગ્રહણ કરે અને તેનો ઉપયોગ લાભખ્યાતિમાં ન કરે તે પુરુષ સાણસામાં મોઢું દબાવી સાપને પકડનાર કુશળ મદારીની પેઠે સાપના ડંખથી મુક્ત રહે. એટલું જ નહિ, પણ તે સાપનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે.' બુદ્ધની વિશેષતાને સૂચવનાર જે થોડાક દાખલા ઉપર આપ્યા છે તે અને જે આપવામાં નથી આવ્યા તે બધાયથી ચડી જાય તેવો અથવા તો સમગ્ર વિશેષતાના મર્મનો ખુલાસો કરે એવો એક દાખલો અંતમાં ન આપું તો બુદ્ધ વિશેનું પ્રસ્તુત ચિત્ર અધૂરું જ રહે. વળી, ભારતીય તત્ત્વચિંતકોની વિચાર-સ્વતંત્રતાને દર્શાવતાં પ્રો. મેક્સમૂલરે ઈ. સ. ૧૮૯૪માં પોતાના વેદાંત ઉપરના ત્રીજા ભાષણમાં બુદ્ધની એ જ વિશેષતાનો નિર્દેશ કર્યો છે, અને સત્યશોધક તેમ જ સ્વતંત્ર વિચારક સ્વર્ગવાસી કિશોરલાલભાઈએ “જીવનશોધનની પ્રસ્તાવનાના પ્રારંભમાં પણ બુદ્ધની એ જ વિશેષતાનો નિર્દેશ કર્યો છે. હું જાણું છું ત્યાં લગી બુદ્ધ પહેલાં અને બુદ્ધ પછીનાં ૨૫૦૦ વર્ષમાં બીજા કોઈ પુરુષે બુદ્ધના જેટલી સ્વસ્થતા, ગંભીરતા અને નિભર્યતાથી એવા ઉદ્ગારો નથી ઉચ્ચાર્યા, જે વિચાર-સ્વતંત્રતાની સાચી પ્રતીતિ કરાવે તેવા હોય. તે ઉગારો આ રહ્યા અને એ જ એમની સર્વોપરી વિશેષતા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy