SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ “સંસ્મરણોની સમાલોચના • ૨૧૧ રાહતકાર્યમાં પ્રત્યક્ષ ભાગ લેવો, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈમાં એક વિશિષ્ટ સૈનિક તરીકે ઝંપલાવવું, કેળવણીનાં વિવિધ ક્ષેત્રોમાં એકસરખો રસ લેવા ઉપરાંત તેને લગતાં અનેક સ્વપ્નોને સાકાર કરવાં, અધિકારીના અન્યાય કે જોહુકમી સામે લડતા તરણવર્ગને પડખે ઊભા રહી નમૂનારૂપ કહી શકાય એવી દોરવણી દ્વારા લડતને વિજયી બનાવવી, કેળવણીના કામ અંગે તેમ જ લોકહિતનાં બીજાં અનેક કામો અંગે ફંડફાળા એકઠા કરવા, કોંગ્રેસ અને બીજી અનેક સંસ્થાઓનાં નાણાંનો પ્રામાણિક તેમ જ કુશળ વહીવટ કરવો, કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક અને ગાંધીસ્મારક જેવા અનેક દેશવ્યાપી ટ્રસ્ટના ટ્રસ્ટી થવું, તેનો વહીવટ કરવો અને ઠરાવેલ ઉદ્દેશ અનુસાર ચાલતાં કામોને જાતદેખરેખથી વેગ આપવો, તરીકેની મહત્તમ જવાબદારીઓને યશસ્વીપણે પહોંચી વળવું વગેરે વગેરે. એમના જીવનનાં કેટલાં બધાં પાસાં છે ને પ્રત્યેક પાસામાં કેટલો બધો અનુભવ સંભાર ભરેલો છે તે બધું આ મર્યાદિત સ્મરણોમાં પણ સીધી કે આડકતરી રીતે જોવા મળે છે. જેમ એક જ મધુબિન્દુમાં અનેક મોસમોનાં, અનેક જાતનાં, અનેક આકારનાં અને વિવિધ રંગસ્વાદ તથા ગંધનાં ફૂલોનું સત્ત્વ એકરસ થયેલું હોય છે તેમ પ્રસ્તુત સંસ્મરણો વિશે કહી શકાય. ઘટના કોઈ એક જ હોય છે, પણ જ્યારે દાદા એને લગતા અનુભવનું સ્મૃતિચિત્ર ખેંચે છે ત્યારે અખંડ જીવનમાં આવેલા અને જિવાતાં અનેક પાસાંઓ તે ચિત્રમાં સાકાર થયા વિના નથી રહેતાં. સત્યની ચાહના, સાહજિક તેજસ્વિતા અને ઊંડી ધાર્મિકતા, સ્પષ્ટ સમજણ અને વિવિધ ક્ષેત્રે કામ કરવાની ધગશ તેમ જ તેને યશસ્વી રીતે પાર પાડવાની કળા – એ પ્રસ્તુત સંસ્મરણોનો પ્રાણ તેમ જ તેની ભૂમિકા છે. સત્યનિષ્ઠાનો પુરાવો છઠ્ઠા અને બાવનમા સંસ્મરણમાં સ્પષ્ટ છે. આશ્રમ ટ્રસ્ટનો લાંબો કાયદેસર દસ્તાવેજ મહેનત કરી દાદાસાહેબે ઘડ્યો, પણ જ્યારે ગાંધીજીએ દસ્તાવેજ ટૂંકો કરવાની દૃષ્ટિ સૂચવી ત્યારે દાદા જરાય આનાકાની વિના એ દૃષ્ટિનું સત્ય સ્વીકારી લે છે અને પોતાને એક નવદૃષ્ટિ લાધ્યાનો સંતોષ પ્રગટ કરે છે. આ એક વાત. તેથી ઊલટું, જ્યારે પ્રાદેશિક વિદ્યાપીઠ પરત્વે પોતાનો વિચાર ગાંધીજી કરતાં જુદો પડવા છતાં પોતાને તે સત્યપૂત લાગ્યો ત્યારે, ગાંધીજી પ્રત્યે અનન્ય માન ધરાવવાં છતાં, પોતાની વિચારસરણીને મક્કમપણે રજૂ કરતો ગાંધીજી સાથે થયેલ વાતચીતનો મુસદ્દો દાદાસાહેબે ગાંધીજીને મોકલ્યો અને તેથી ગાંધીજી કાંઈક વળ્યા અને ખુશ પણ થયા. જેનામાં સત્યનિષ્ઠા હોય છે તે જેમ બીજા હરકોઈ પાસેથી સત્ય સ્વીકારતાં ખમચાતો નથી તેમ તે પોતાને સ્પષ્ટ પ્રતીત થતા સત્યને મક્કમપણે છતાં વિનમ્રપણે વળગી રહે છે અને જેને શિરસાવંદ્ય લેખતો હોય તેની સામે પણ તે સત્ય મૂકતાં જરાય પાછો પડતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy