SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન • ૧૯૭ હમણાં જ થોડા વખત ઉપર શાન્તિનિકેતનમાં ભાષણ કરતાં પં. રાહુલ સાંકત્યાયન, જેમનો દેશવિદેશનો અને ખાસ કરીને રશિયન વિદ્યાસંસ્થાઓનો પ્રત્યક્ષ અને બહોળો અનુભવ છે, તેમણે આ જ પ્રશ્ન સંબંધી પોતાના જે વિચારો વ્યક્ત કર્યા હતા તે પણ નોંધવા જેવા છે. : પશ્ચિમમાં આલ્બનિયા જેવા નાના દેશો અને એશિયામાં તિબેટ જેવો દેશ જો શિક્ષણની તમામ કક્ષાઓમાં સ્વભાષામાં જ શિક્ષણ આપે છે તો હિંદના પ્રાન્તો શા માટે તેમ ન કરી શકે તે હું સમજી શકતો નથી.” પંડિતજીના રાષ્ટ્રભાષા સંબંધી વિચારો નોંધવા અત્રે કદાચ પ્રસ્તુત ન ગણાય, પણ એ જ ભાષણમાં એમણે એ પણ કહ્યું હતું કે હિંદીએ જ્યારે તમામ પ્રાન્તભાષાઓની સમૃદ્ધિ આત્મસાત્ કરી લીધી હશે અને એ પોતે વિપુલ શબ્દભંડારવાળી સમર્થ ભાષા બની હશે ત્યારે જ તે રાષ્ટ્રભાષા તરીકે કામ આવી શકશે.) છેલ્લે આયુનિવર્સિટીના સમાવર્તન સમારંભ પ્રસંગે શ્રી. અરવિંદે મોકલેલા સંદેશામાંથી નીચેની મનનીય કડિકા પ્રસ્તુત લાગવાથી ઉતારું છું : એકસપાટે બધું એકસરખું કરી મૂકવામાં જ કેટલાકને સાચા સંઘનાં, એક અને અખંડ રાષ્ટ્રનાં, દર્શન થાય છે. એને સિદ્ધ કરવા એક જ રાષ્ટ્રીય ભાષા દ્વારા વહીવટ, ભાષા, સાહિત્ય, કળા-કેળવણી એ સર્વનાં નિશ્ચિત ધોરણો ઉપજાવવાનો અને એકરૂપતા લાવવાનો એમને આગ્રહ છે. ભવિષ્યમાં આ કલ્પના કેટલે અંશે સિદ્ધ થઈ શકે એની આગાહી કરવી કઠણ છે, પણ અત્યારે તો એમ કરવું અવ્યવહારુ છે એ સાવ દેખીતું છે. એમ કરવું એ ખરેખર હિંદના લાભમાં છે કે કેમ તે પણ શંકાસ્પદ છે. દેશની પ્રાચીન વિવિધતાઓમાં જેમ મોટા લાભો રહ્યા હતા તેમ એમાં ત્રુટિઓ પણ હતી, પણ આ ભિન્નતાઓને લીધે આ દેશ જીવનકળા અને સંસ્કૃતિનાં અનેક જીવતાં અને ધબકતાં કેન્દ્રોનું ધામ બન્યો હતો, દેશની એકતામાં સમૃદ્ધ અને તેજસ્વી રંગોની ભભકવાળી વિવિધતાની ભાત પડી હતી. બધું ઐશ્વર્ય પ્રાન્તોની થોડીક રાજધાનીઓમાં કે સામ્રાજ્યના પાટનગરમાં ખેંચાઈ ગયું હોય અને બીજાં નગરો અને પ્રદેશો એમનાં તાબેદાર બનીને રહેતાં હોય અથવા સાંસ્કૃતિક અર્થમાં ઘોરતાં હોય એવું અહીં બન્યું નહોતું. આખો દેશ એના અનેક ભાગોમાં પૂર્ણ ચૈતન્યથી જીવતો હતો, અને એથી સમસ્ત રાષ્ટ્રની સર્જકશક્તિ ખૂબ જ વધી ગઈ હતી. આ વિવિધતા હિંદની એકતાને ઘટાડે અથવા જોખમમાં મૂકે એવી શક્યતા હવે તો મુદ્દલ રહી નથી. જે વિશાળ અંતરો પૂર્વે લોકોને સરસા આવવામાં અને પૂરેપૂરો વ્યવહારનાં સાધનો ઝડપી થવાને લીધે, અલગ પાડવાના અર્થમાં, અંતરો જ રહ્યાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy