SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતો અનેકાંત • ૧૭૭ જેવા મતભેદોને શમાવી શકે, તેઓમાં અનેકાંતનું તત્ત્વજ્ઞાન ને એકાંતમય. ધર્મ છે એમ કોણ કહેશે ? ઠીક ભલા, એથી આગળ ચાલી જોઈએ. થોડી વાર એમ માનો કે અનેકાંતદષ્ટિ માત્ર એક જૈન ફિરકાને વરી છે, તો પછી ફિરકાના અનુયાયીઓને આપણે જરૂર પૂછીશું કે ભાઈઓ! તમારા શ્વેતાંબર કે દિગંબર કોઈ એક જ ફિરકામાં પહેલેથી જ આજ લગી ગણ-ગચ્છના નાના નાના અનેક વાડાઓ કેમ પડ્યા કે જે વાડાઓ એકબીજાથી દૂર રહેવામાં જ મહત્ત્વ માનતા આવ્યા છે ? શું અનેકાંત એ સાંધનાર છે કે ભાગલા પડાવનાર છે? જો ભાગલા જ પડાવનાર હોય, તો તમારું સ્થાન દુનિયાના બીજા કોઈ પણ ઊતરતામાં ઊતરતા પંથ કરતાં ચડિયાતું નથી. સાંધનાર હોય, તો તમે પોતાના ફિરકામાં પડતા નાના નાના ભાગલાઓને પણ સાંધી ન શકવાને કારણે જીવનમાં અનેકાંત ઉતારી શક્યા નથી, અનેકાંતને જીવતો રાખી શક્યા નથી. બહુ જૂના વખતની વાત જતી કરીએ અને છેલ્લાં પાંચસો વર્ષના નવા ફાંટાનો જ વિચાર કરીએ, તોય જૈન પરંપરામાં ધાર્મિક જીવન અનેકાંત વિનાનું જ જણાશે. સ્થાનકવાસી ફિરકાને પૂછીએ કે તમે પ્રથમના બે ફિરકાથી જુદા પડી અનેકાંત સિદ્ધાંત જીવતો રાખ્યો છે કે તેની ચૂંથાયેલી કાયાના વધારે કટકા કર્યા છે? જો સ્થાનકવાસી ફિરકાએ પોતાનાં નાનાંમોટાં ટોળાંને સાંધવા પૂરતો અને ઓઘાની દશીઓ આમ બાંધવી કે તેમ બાંધવી તેના એક નિર્ણય પૂરતો પણ અનેકાંત જીવી બતાવ્યો હોત, તો એટલો તો સંતોષ થાત કે જીવનમાં અનેકાંતની હત્યા કરનાર પ્રથમના બે ફિરકાઓ કરતાં આ નવા ફિરકાએ કાંઈક અનેકાંતનું જીવન બચાવ્યું, પણ આપણે તો ભૂતકાળના ઇતિહાસ અને વર્તમાન જીવનમાં જોઈએ છીએ કે છ કોટિ, આઠ કોટિના બોલની સંખ્યા પૂરતા અગર અમુક પાઠો બોલવા ન બોલવાના ભેદ પૂરતા, અથવા કેળાં ખાઈ શકાય કે નહિ તે પૂરતા, અગર પર્યુષણ પર્વ અમુક તિથિએ કરવાં ન કરવાં પૂરતા અનંત ઝઘડાઓ વધારી અનેકાંતના અનેક અંત કરી નાખ્યા છે. ટૂંકમાં, જૈન પરંપરાના ધાર્મિક ઈતિહાસમાં અનેકાંત જીવતો તો નજરે જ પડતો નથી. હા, કલ્પનામાં તેણે અનેકાંત એટલે લગી વિસ્તાર્યો છે કે અનેકાંતનું પોષણ કરનાર એક ખાસું સ્વતંત્ર સાહિત્ય સર્જાયું છે, પરંતુ આ સ્થળે એ વાત ખાસ ભારપૂર્વક નોંધવા જેવી છે કે અનેકાંતની વ્યાખ્યા કરતાં આચાર્યોએ ને વિદ્વાનોએ જે ઉદાહરણો ને દાખલાઓ આપ્યાં છે ને હજુએ આપે છે, તે ઉદાહરણો વાળના અગ્ર ઉપર નાચી શકાય કે નહિ એ પ્રશ્નોના મનોરંજક જવાબ જેવાં છે. આકાશને ફૂલ છે – પણ એ સાબિતી સુધી અનેકાંત ગયો છે, પણ મંદિરો જુદાં હોવા છતાં એક જ તીર્થમાં શ્વેતાંબર દિગંબરો સુલેહ સંપ અને પૂર્ણ સમાધાનથી રહી શકે કે નહિ અને રહી શકે તો કેવી રીતે, તેમ જ ન રહી શકે તો કેવી રીતે - એનો નિર્ણય કરી ખુલાસો આટલા ઝઘડાશાસ્ત્રના અનુભવને પરિણામે પણ અનેકાંત મહારથીઓએ હજુ લગી આપ્યો નથી. ધાર્મિક જીવનમાં છેક જ છિન્નભિન્ન થયેલા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy