SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ • પરિશીલન અત્યારે જીવનમાં કામ કરી રહ્યો છે તેનું સુરેખ ચિત્ર આપ્યું છે. આ લખાણોમાં કેટલાક વિષયો પર સામાન્ય નિબંધો પણ તેમણે સંઘર્યા છે. એ નિબંધોનું નવનીત જોકે જીવનગત ઘટનાઓના મંથનમાંથી જ ઉત્પન થયું છે. છતાં તેમાં કોઈ ખાસ ખાસ ઘટનાઓનો ઉલ્લેખ ન હોવાથી તે ઘટના નિરપેક્ષ વિચાર ભાસે છે. હું તો કાકાની ઉપમાઓ, ભાષાવિહાર, નવનવ કલ્પનાઓ, વિચારનાં ઊંડાણો – એ બધું જોઉં છું ત્યારે એમને નવયુગીન વ્યાસ-વાલ્મીકિ તરીકે જ ઓળખાવવા લલચાઈ જાઉં છું. કાકા “દત્તાત્રેય છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહિ તો ઓછા ગુરુઓ તો નહિ કર્યા હોય એવી મારી ધારણા છે. તે ગમે તેમ હો, પણ તેમના અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ઘણી બાબતોમાં ઘણું અંતર છે, એ કહેવાની જરૂર ન હોય; પણ પ્રસ્તુત “ધર્માનુભવની સ્મરણયાત્રા અને બીજી “સ્મરણયાત્રા' તે એક રીતે કાકાસાહેબની આત્મકથા જ છે. ગાંધીજીએ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે. કાકાસાહેબે આત્મકથા આપી આબાલસ્ત્રીજન ઉપરાંત વિદ્વાનોને અને સાક્ષરોને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યા છે. ગાંધીજી જે કહેવું હોય તે સીધેસીધું કહી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કોઈ બાબત વિશે કહેવું હોય ત્યારે કાકાસાહેબ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફેલાવી, વિકસાવી અનેક મનોરમ તર્ક અને આસપાસના અનુભવોના રંગ પૂરી રજૂ કરે છે. એટલે ગાંધીજીનું એક વાક્ય તે કાકાસાહેબનો એક નાનકડો લેખ બને વિદ્વાનો અને સાક્ષરો “આશ્રોતિ’ એ વાકય સંતોષ નથી આપતું, જ્યારે તે જ અર્થનું સદરત વિનતિતરાં પુરત' એ વાક્ય આકર્ષે છે. યાત્રા કરવી હોય ત્યારે એક નિયત સ્થાનથી બીજા અંતિમ નિયત સ્થાન સુધી પગપાળા જવાનું હોય છે, તેમાં પડાવો કરવા પડે છે; પ્રત્યેક પડાવે નવો નવો અનુભવ અને તાજગી મળતાં જાય છે, ખાસ કરી નદી, માનસરોવર કે કૈલાસની યાત્રા કરવી હોય ત્યારે તો ઊંચું ને ઊંચે ચડવાનું પ્રાપ્ત થાય છે. આવાં ચડાણોમાં ક્ષિતિજપટ ઉત્તરોત્તર વિસ્તરતો જાય છે. કાકાસાહેબે એવી યાત્રાનો આનંદ માણ્યો છે, એની ખૂબીઓ જાણી છે. તેથી જ કદાચ તેમણે પોતાનાં સ્મરણોને યાત્રાથી ઓળખાવ્યાં છે. આ પણ એક માનસિક અને આધ્યાત્મિક ઊંડાણ અને ચડાણનો પ્રવાસક્રમ હોવાથી યાત્રા જ છે. અધિકાર, સમજણ અને વિવેકના તારતમ્ય પ્રમાણે ધર્મના અનેક અર્થો મનુષ્યજાતિએ કર્યા છે; શાસ્ત્રોમાં સંઘરાયા પણ છે. એક જ પ્રસંગમાંથી અમુક કાળે ધર્મનો જે અર્થ ફલિત થાય તે જ પ્રસંગમાંથી કાળાંતરે સમજણ, વિવેક અને પ્રજ્ઞાની વૃદ્ધિ સાથે ધર્મનાં ઉત્તરોત્તર સૂક્ષ્મ રૂપો તે જ વ્યક્તિ કહ્યું છે, અનુભવે છે અને એ રીતે ધર્મના વિશાળ રૂપના અનુભવની યાત્રા જાગરૂક વ્યક્તિ એક જ જીવનમાં કરે છે. પ્રસ્તુત લખાણો કાકાસાહેબની એવી યાત્રાનાં સાક્ષી છે, તે પ્રતીતિ હરકોઈ વાચક કરી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy