SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવેણીસ્નાન • ૧૪૯ જેમ ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વ્યક્તિઓનું અને ત્રણ ભાવોનું મિલન છે. ત્રણ વ્યક્તિઓ એટલે સોક્રેટિસ, રામકૃષ્ણ પરમહંસ અને ગાંધી બાવા. ત્રણ ભાવો એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ તેમ જ શીલ, , સમન્વય અને સત્યાગ્રહ. " સોક્રેટિસ એ શીલનું પ્રતીક છે. પરમહંસદેવ શીલ અને સમન્વયનું પ્રતીક છે તો ગાંધીજી એ શીલ, સમન્વય અને સત્યાગ્રહનું પ્રતીક છે. બીજી પરિભાષામાં કહીએ તો સોક્રેટિસ જ્ઞાન અને સમજણની મૂર્તિ છે, તો પરમહંસદેવ ભક્તિની પ્રતિમા છે, અને ગાંધીજી એ સદેહ કર્મયોગ છે. આ બધું કેવી રીતે છે તેનો સચોટ ખ્યાલ આ લઘુ પુસ્તક વિશદ રીતે પૂરો પાડે છે. વિજ્ઞાનના વિકાસે અત્યારે તો ભૂમિના કોઈ પણ એક છેડાને તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં આવેલ દૂરવર્તી બીજા છેડા પાસે લાવી મૂક્યો છે. આજે અહીં ઘરખૂણે બેસી ઉત્તરધ્રુવમાં થતા વાર્તાલાપને આપણે સાંભળી શકીએ છીએ. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં એવી વિભૂતિ, લબ્ધિ યા અભિજ્ઞાની વાત છે કે યોગી અમુક વિભૂતિથી દૂર દૂરનાં, ઠેઠ સ્વર્ગ સુધીનાં શબ્દો અને ગીતો સાંભળી શકે છે; દૂર દૂરનાં રૂપોને નિહાળી પણ શકે છે. તે વિભૂતિ જુદી રીતે પણ કેટલેક અંશે વૈજ્ઞાનિક વિકાસે આપણી સામે સાકાર કરી છે. યંત્રયુગના વિકાસ સાથે જ પૂર્વ-પશ્ચિમનું મિલન વધારે ને વધારે વ્યાપક તેમ જ સર્વસાધારણ બનતું ગયું. પૂર્વને પશ્ચિમનો અને પશ્ચિમને પૂર્વનો પરિચય વધારે પ્રમાણમાં અને તે પણ વિશેષ, પ્રમાણભૂત રૂપે થતો ચાલ્યો. આમાં અંગ્રેજી ભાષાએ ભારે મદદ કરી. ભાષાનો અંતરાય તૂટ્યા વિના દૂર દૂરનાં અંતરો ખસી જતાં નથી. અંગ્રેજી ભાષા અને તેના અનેકવિધ સાહિત્યના અભ્યાસે પૂર્વનાં નેત્રો ખોલ્યાં એ જ રીતે સંસ્કૃત આદિ પીરસ્ય ભાષાઓના અધ્યયને વિદ્વાનોનાં નેત્રોમાં અંજનશલાકાનું કામ કર્યું. બંને પ્રજાઓ એકબીજાના આત્માને ઓળખવા લાગી. અંગ્રેજી સાહિત્યના અનુશીલન પહેલાં કોઈ પીરસ્યને, ખાસ કરીને સર્વસાધારણ ભારતવાસીને, સોક્રેટિસ આટલો બધો જાણીતો ન હતો. સોક્રેટિસ જો ભારતમાં જન્મ્યો હોત અને તેનું જન્મકૃત્ય ભારતમાં સમ્પન્ન થયું હોત તો તેણે ભારતીય અવતારમાળાઓમાં ચોક્કસ સ્થાન મેળવ્યું હોત એવી એની શીલમૂર્તિ છે. આજે તો ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં ભાગ્યે જ એવી કોઈ હશે કે જેમાં સોક્રેટિસનું જીવન સંક્ષેપ કે વિસ્તારથી આલેખાયેલું ન હોય. મેં હિંદી આદિ ભાષાઓમાં જે જે સોક્રેટિસ વિશે વાંચ્યું કે સાંભળ્યું છે તે બધા કરતાં પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલ સોક્રેટિસનું રેખાચિત્ર ભારે ઉઠાવદાર અને વાચકને ઊર્ધ્વપ્રેરણા આપે તેવું મને લાગ્યું છે. એના લેખકે સોક્રેટિસ વિશે એટલું બધું વાંચ્યું-વિચાર્યું લાગે છે કે એ રેખાચિત્રના વાકયે વાકયે, કંડિકાએ કંડિકાએ વાચક વધારે ને વધારે ઊર્ધ્વગામી બનતો જાય છે. ગ્રીસ, એથેન્સ, સ્પાર્ટીનો ઈતિહાસ ટૂંકમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy