SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠશાળા ત્યાગ પછીની યાત્રા - ૮૧ ગુજરાનવાલામાં શ્રીમત્ આત્મારામજી મહારાજનાં લખાણો વિરુદ્ધ અવાજ ઊઠેલો. સનાતન ધર્મના ભારતવિખ્યાત પંડિતો ત્યાં આવેલા ને તેમણે જૈનોને ચેલેન્જ આપેલી કે આત્મારામજીનાં વૈદિક માન્યતા વિરુદ્ધનાં લખાણોની યથાર્થતા તમે સાબિત કરો. ગુજરાનવાલામાં વિજયકમલસૂરિ અને વીરવિજયજી ઉપાધ્યાય બંને હતા. તેઓ આ બાબતમાં કશું કરી શકે તેમ ન હોવાથી કોઈ જૈન પંડિતને બહારથી બોલાવવા કૃતનિશ્ચય થયેલા. છેવટે ઉપાધ્યાયજીને એક વાર પહેલાં પરિચયમાં આવેલા વ્રજલાલજીનું સ્મરણ થયું ને તેમણે તેમને બોલાવવા પત્ર લખાવેલો. વ્રજલાલજી ગુજરાનવાલા ગયા. ભારે રસાકસી જામી. છેવટે કલેક્ટરને મેજિસ્ટ્રેટની દરમિયાનગીરીથી વિવાદનો અંત આવ્યો. જૈનોની ઇજ્જત સચવાઈ. વ્રજલાલજીનું ગૌરવ વધ્યું. તેઓ ત્યાંથી વિદાય થઈ પાછા ફર્યા તો લાહોરમાં વલ્લભવિજય મહારાજ મળ્યા. તેઓ અતિશય સખત ગરમીમાં દિલ્હીથી લાંબો લાંબો વિહાર કરી ગુજરાનવાલા ઉક્ત વિવાદમાં ભાગ લેવા જ જઈ રહ્યા હતા. તેઓ પણ વિવાદનો અંત પોતાના લાભમાં આવેલો જાણી વ્રજલાલજી તરફ બહુ આકર્ષાયા અને કહ્યું કે ખુશીથી તમે કાશીમાં વધારે ભણો, જોઈતો પ્રબંધ થઈ જશે. વ્રજલાલજીનો તાર મળવાથી હું આગ્રા પહોંચી ગયો અને બધી હકીકત જાણી લીધી. અમારે કાશી રહી ભણવું અને આર્થિક જવાબદારી બાબુ ડાલચંદજીએ માથે લેવી એમ ઠર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy