SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મેતશિખરની યાત્રા કરી કલકત્તામાં ૦ ૧૯૭ ગુજરાતી અને બીજા ભાઈઓને કદાચ એથી બહેનોની સૌંદર્યહાનિ દેખાય છે, પણ હું એમ નથી માનતો. જાહેર પ્રવૃત્તિ અને સાર્વજનિક ક્ષેત્રોમાં બહેનોનો જેમ જેમ પ્રવેશ વધતો જશે ને દોડાદોડ કરવાના પ્રસંગો પ્રાપ્ત થતા જશે, તેમ તેમ લેંઘો કે તેવા બીજા ચુસ્ત પોશાકની ઉપયોગિતા વધારે ને વધારે સમજાતી જશે. કામની સગવડ ઉપરાંત પાયજામા કે લેંઘાના પોશાકના કાપડની કરકસરનો પણ લાભ છે જ. ને સાર્વજનિક દૃષ્ટિએ વિચાર કરતાં એ લાભ જેવોતેવો નથી. સમ્મેતશિખરની યાત્રા હું ઈસરી સ્ટેશનથી પાર્શ્વનાથહિલ સુધી સાથે બેલગાડી હોવા છતાં મોટે ભાગે પગપાળા જ ગયો. જેમ જેમ એ વન્ય પ્રદેશમાં ચાલતો તેમ તેમ તાજગી અનુભવાતી. છેવટે તળેટી પહોંચ્યા પહેલાં એક નાની પહાડી નદી આવી. તેની આસપાસ વાંસનાં ને બીજાં લીલાંછમ ઝાડોની ઘટામાં વિસામો કરવા બેઠો તે વખતે અનુભવેલો કુદરતી આનંદોલ્લાસ આજે પણ વન્ય પ્રદેશોની રમણીયતા અનુભવવાની ઉત્કંઠા ઉત્પન્ન કરે છે. હરસજન્ય નબળાઈથી આમ તો ભૂખ લાગતી નહિ અને ખાધું પચતું પણ નહિ, પરંતુ આ પગપાળાની મુસાફરી તેમજ ખુલ્લાં મેદાનોની હવાએ રસાયણથી પણ વધારે સારી અસર કરી હોય એમ મને લાગ્યું. ઈસરી સ્ટેશન ઉપર આવેલી જૈન ધર્મશાળામાંથી મળેલ બુંદીનો મોટો લાડવો એ નાનકડી નદીને કિનારે માત્ર સમાપ્ત જ ન થયો, પણ તે પચી પણ ગયો. આ અનુભવ ઉપરથી છેવટે હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઘણાખરા રોગો જેમ જીવન જીવવાની અનાવડતથી થાય છે તેમ ઘણા અને મોટા રોગો શહેરી અકુદરતી જીવન જીવવાને લીધે જ થાય છે. જીવન જીવવાની કળા એ બધી કળાઓમાં મુખ્ય છે. એ કળામાં જે નિપુણ ન હોય તે બીજી ગમે તે કળામાં પારગામી હોય તોય તે નિપુણતા રાખ ઉપર લીંપણ જેવી છે. કલકત્તાની યાત્રા હું તળેટીની ધર્મશાળામાં પહોંચ્યો ત્યારે સંઘ સાથે મુનિશ્રી જિનવિજયજી ત્યાં પ્રથમથી જ પહોંચી ગયેલા મેં જોયા. સંઘ અને મુનિજીનો કાર્યક્રમ તો સમ્મેતશિખર ઉપર યાત્રા કરવાનો હતો જ. હું ઘણાં વર્ષો પહેલાં ઉ૫૨થી બધી ટેકરીઓએ યાત્રા કરી ચૂકેલો. આ વખતે પાલખીમાં બેસવાની વૃત્તિ ન હતી ને પહાડ ઉપર ચાલીને ચડવા જેટલી શક્તિ પણ ન હતી. તેથી નીચે જ તળેટીની આસપાસ ઝાડીઓ વચ્ચે ખળભળ વહેતાં ઝરણાંઓ તેમજ કલરવ કરતાં પંખીઓના સુમધુર વાતાવરણમાં ફરી શકાય તેટલું ફરતો ને નવનવાં સપનાં રચતો. છેવટે બે-ત્રણ દિવસ પછી કલકત્તા ઊપડયો. મુનિજીની ઇચ્છા હતી કે તેઓ સંઘ સાથે કલકત્તા આવે તે પહેલાં હું કલકત્તા જાઉં તો સારું. આગ્રાવાળા બાબુ ડાલચંદજી ત્યાં હતા જ. મારા મોટાભાઈનો જ્યેષ્ઠ પુત્ર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy