SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ બીમારીને કારણે યાત્રાઓ • ૧૮૫ મને સાંજે તાવે દર્શન દીધાં. મેં મારી ઢબે ઉપચારો કર્યા, પણ સફળ ન થયો એટલે વિચાર્યું કે ક્યાંક બહાર જાઉં તો સારું. અજમેર અને પુષ્કરમાં લડાઈમાંથી પાછો ફરેલ એક પનાસિંહ નામનો સૈનિક હતો તેને નોકર રાખેલો. તેથી તેની સાથે મેં અજમેર તરફ પ્રયાણ કર્યું. અજમેર જવાથી સ્થાનપરિવર્તન થશે. ત્યાંનાં હવા-પાણી પણ સારાં છે એમ ધારી મેં અજમેર સુધી જવાનું પસંદ કર્યું. સ્ટેશનની નજીક બરાબર સામે હીરાચંદ સુચંતીની ધર્મશાળામાં ધામા નાખ્યા. ગરમી તો ત્યાં પણ અપાર હતી. ને તાવે પીછો ન છોડ્યો. છેવટે એ ધર્મશાળાના માલિક હીરાચંદ સુચંતી મને પોતાને ત્યાં લઈ ગયા. એમણે સરભરા તો ખૂબ કરી, પણ તેથી તાવમાં કશો ફેર ન પડ્યો. મારું મન ત્યાંથી પણ ઊપડ્યું. સુચંતીની સલાહ પડી કે, હું પુષ્કરરાજ જાઉં તો તે સ્થાન અનુકૂળ થશે અને તાવ ઊતરશે. તેમની જ વ્યવસ્થાથી તેમના જ ડમણિયામાં હું પુષ્કરરાજ ગયો. તાવ પણ ડમણિયા પહેલાં જ ત્યાં પહોંચી ગયો હોય તેમ લાગ્યું. ત્યાંનાં તળાવો, મંદિરો, પંડ્યાએ વગેરે જે કાંઈ જોવા-જાણવા જેવું હતું તેમાં તાવની ચિંતાને કારણે બહુ રસ ન પડ્યો ને ફરી ક્યારેક નિરાંતે આવી જોઈશું એવી ઈચ્છા સાથે પુષ્કરરાજને પણ નમસ્કાર કર્યો. અજમેરમાં બે જણ પરિચિત મળી ગયા. એક હતા વૈદ્ય ને બીજા હતા પંડિત. બંને દિગંબર. કાશીમાં હતો ત્યારથી જ તેઓ મારા જાણીતા કેમ કે તેઓ મારી નજીકમાં જ રહેતા ને ભણતા. વૈદ્ય મિત્રસેને મને તાવની દવા આપી. તેમનો આગ્રહ છતાં હું તાવ જાય ત્યાં સુધી ન રોકાયો, પણ તેમની દવા ફાકી મારવાડ તરફ રવાના થઈ ગયો. ૫ ભામંડળદેવનો યોગ જે બીજા પંડિતનો નિર્દેશ મેં કર્યો છે તેમનું નામ ભામંડળદેવ. તે કાશીમાં વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે મારી પાસે ન્યાય-વ્યાકરણ ભણતા. તેથી એક રીતે મને બહુ માનતા. મૂળે આગ્રાના નિવાસી છતાં તેઓ અજમેરમાં કામ કરતા, સુરત વગેરે શહેરમાં પ્રેસનું કામ કરેલું હોવાથી તેમને છપાવવાનો ઠીક ઠીક અનુભવ હતો. મેં તેમને આગ્રા લાવવાનું નક્કી કર્યું ને કહી દીધું કે તમે અનુકૂળતાએ આગ્રા પહોંચી જાઓ, હું જલદી સ્વસ્થ થઈ મારવાડથી પાછો ફરીશ. નાની મારવાડમાં ફલના સ્ટેશન ઊતરવું હતું. ત્યાં વિજયવલ્લભસૂરિ ચોમાસું હોવાથી ને સારાં હવાપાણીની સંભાવનાથી મેં ફાલના પસંદ કરેલું. ગાડીમાં બેઠો ત્યારે પેલા વૈધે આપેલી ફાકી લીધેલી. મને પછી જણાયું કે એ રેચક દ્રવ્ય છે. ગાડી ફલના ઊભી ન રહેતી તેથી એરણપુરા ઊતરી ગયો. દવાએ પણ અસર કરી. રેચથી મળ અને તાવ બંને સાથે જતાં હોય એવો મને ભાસ થયો. ભૂખ કહે મારું કામ. છેવટે gin Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy