SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ • મારું જીવનવૃત્ત સાથે એ પણ સૂચવ્યું કે, જો સંઘની માફી નહિ માગે તો એને ક્યાંય ઊભા રહેવાનું સ્થાન નહિ રહે. બેચરદાસના ભાષણ કે લખાણમાં એકગિતા કે ત્રુટિ હોય તે કરતાં આવા રૂઢિચુસ્ત સાધુઓ ને તેમને અનુસરનાર શ્રાવકોના વલણમાં અનેકગણી વધારે એકાંગિતા, અસહિષ્ણુતા ને જડતા હતાં એમ મને સ્પષ્ટ તે વખતે લાગતું, તેથી હું એ વાતની તથ્થામાં ન ઊતર્યો. ને તેમની પાસેથી વિદાય લીધી તે આજ લગી પણ ચાલુ જ છે. શ્રી મંગળભાઈનો પ્રેમ અમદાવાદથી રવાના થયો તે વખતે પણ શેઠ મંગળભાઈએ સત્કારવિધિ કર્યો. તેમણે મને કહ્યું કે, હું જે તમારા હાથમાં મૂકું તે લેવાની ના નહિ જ પાડવી. મેં કહ્યું શું છે? તો કહે હાથમાં પડે એટલે જાણી લેજો. એમ કહી તેમણે એક ધોતિયું અને એક દુપટ્ટો મારા ખોળામાં મૂક્યાં. આ બંને કસબી કે રેશમી કિનારીના હોવાનું યાદ છે. મેં કહ્યું, મંગળભાઈ! તમે મારી જે પરિચર્યા કરી છે તેનો જ ભાર મારા માટે વધારે પડતો છે. વળી આ ભાર ક્યાં વધારે! અને ખરી વાત તો એ છે કે, ભાર ન થતો હોય તોય એવાં કપડાંને લાયક હું નથી. હું કપડાં એવાં ન પહેરી શકું, જે મારા દેહ કરતાં વધારે કીમતી કે વધારે સુંદર હોય ! મારો અતિ આગ્રહ જોઈ તે વખતે તો તેઓ ચૂપ રહ્યા, પણ મને વળોટવા આવનાર મિત્ર હીરાચંદ દેવચંદ સાથે હું ન જાણું તેવી રીતે દુપટ્ટો મોકલ્યો ને સ્ટેશન ઉપર મને તેઓ આપે એમ ભલામણ પણ કરેલી. છેવટે મેં મક્કમ રહી દુપટ્ટો પાછો મોકલ્યો ને કહેવરાવ્યું કે, જો તમારી ભક્તિ જ હોય તો પછી મારા બદલે હીરાચંદભાઈ જેવાને આપજો. એક તો તેઓ તમારા ધાર્મિક શિક્ષક છે ને બીજું તેઓ દુપટ્ટો રાખે તો તેથી દુપટ્ટાની શોભા પણ વધ ઈત્યાદિ. અમદાવાદને ગાડીની સીટીની જ સલામ કરી મુંબઈ ભણી ઊપડ્યો. ૫. બેચરઘસની નિર્ભયતા મુંબઈ હું તે વખતે ઘાટકોપર ઊતરેલો. ત્યાં બીજા મિત્રો સાથે બેચરદાસ પણ રહેતા. તે વખતે બેચરદાસ ઉપર સંઘબહિષ્કારનાં વાદળાં ચોમેર ઝઝૂમી રહ્યાં હતાં. તેમને ઘણા ભીપ્રકૃતિવાણિયાઓ માફી માંગવા સમજાવતા, પણ તેઓ મક્કમ ને અણનમ હતા. સારો સરખો સુધારક વર્ગ ને અમુક શ્રીમાન વર્ગ પણ તેમની પડખે હતો. તેથી તેમના અંગત કુટુંબનો આગ્રહ છતાં પણ તેમણે સંઘની માફી ન માંગી ને બહિષ્કારનો સામનો કર્યો. હું પૂના પહોંચ્યો. મુનિશ્રી જિનવિજયજી તો હતા જ ને રમણીકલાલ મારા પહેલાં જ પહોંચી ગયેલા એટલે મારે તો તૈયાર ભાણે જ બેસવાનું હતું. પૂનામાં ઓરિયેન્ટલ કોન્ફરન્સ પૂના પહોંચ્યો તો ખરો, પણ પગની બલા સામે આવી. ઓપરેશનની રૂઝ આવી ન આવી ને હું જલદી પૂના જવાની ધૂનને લીધે ચાલવા લાગેલો એથી ચામડી જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy