SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ૭ મારું જીવનવૃત્ત મારો કોઈ સાક્ષાત્ પરિચય થયો જ ન હતો, પણ ગયા ચોમાસામાં પાલનપુર હતો ત્યારે તેમની સાથે પાટણમાં પત્રવ્યવહાર થયેલો. ને પાલનપુર રહ્યા રહ્યા જ તેમના વ્યક્તિત્વ વિષે કેટલુંક સાંભળેલું. તેથી તેમનો વિશિષ્ટ પરિચય સાધવાની તક મળતી હતી.. પંજાબમાં પ્રભુત્વનો પ્રશ્ન મને મુંબઈ એકાએક બોલાવ્યો. પોતાના શિષ્યોને સત્વ૨ મહેસાણા રવાના કર્યા. મને મહેસાણા જવા સમજાવ્યો. આ ઘટનાની પાછળ કાંઈ બીજું રહસ્ય છે કે નહિ ? એવો પ્રશ્ન મને આવ્યા જ કરતો. મેં એનું જે સમાધાન આપમેળે કરી લીધેલું તેનો નિર્દેશ એ દૃષ્ટિથી કરું છું કે સાધુઓના અરસપરસના વ્યવહાર વિષેના ઇતિહાસ ઉપર કાંઈક પ્રકાશ પડે. વલ્લભવિજયજી મહારાજ હતા તો ગુજરાતમાં, પણ પંજાબમાં તેમનું એકાધિપત્ય હતું જ. તેમની ગેરહાજરી દરમિયાન મુનિ લબ્ધિવિજ્યજીએ એ એકાધિપત્યમાં કાંઈક ગાબડું પાડેલું. લબ્ધિવિજયજી યુવાન અને આકર્ષક વક્તા પણ ખરા. વલ્લભવિજ્યજી અને લબ્ધિવિજ્યજી બંને એક જ સંઘાડાના છતાં બંનેમાં સૌમનસ્ય નહિ. લબ્ધિવિજયજી પોતાના ગુરુ વિજયકમલસૂરિના પ્રભાવનો ને પોતાની શક્તિનો ઉપયોગ કરી વલ્લભવિજયજી મહારાજની એકછત્રી સત્તાને નબળી પાડવાની બધી તકો શોધ્યા કરે. વલ્લભવિજ્યજી મહારાજ પણ એવા વિચક્ષણ કે એવી તકોની બાતમી મળે તેવાં સૂત્રો પણ ગોઠવે ને બાતમી મળતાં ચાણક્યની ચકોરતાથી પહોંચી વળવાની ખટપટ પણ કરે. વિજયવલ્લભ મહારાજ ગુજરાતમાં જ હોય ને પાછળથી લબ્ધિવિજ્યજી પંજાબમાં વધારે પ્રભાવ જમાવી લે એવી સ્થિતિ આવી ગઈ હતી. દરમિયાન મારો અને લબ્ધિવિજયજીનો માત્ર પરિચય જ ન વધ્યો, પણ તેઓ સામે ચાલી મારી પાસે આગ્રા ભણવા પણ આવ્યા. આ ઉપરથી વલ્લભવિય મહારાજને એમ થયું હોવું જોઈએ કે, સુખલાલ ભણાવવામાં આગળ તો વધેલ છે આપણા પ્રયત્નથી ને હવે પાડ્યું ફ્ળ જાય છે બીજાના હાથમાં. પ્રામાણિકપણાની દૃષ્ટિએ લબ્ધિવિજયજી તરફ મારું જરાય આકર્ષણ ન હતું, પણ એ વસ્તુ કાંઈ વલ્લભવિજયજી મહારાજ થોડી જાણતા ? એટલે તેમને અમારા બંનેના પુનઃ પુનઃ મિલન અને પરિચયથી સંદેહ થાય એ સ્વાભાવિક હતું. મને સ્પષ્ટ દેખાયું કે આવા કોઈ સંદેહે જ તેમને નવું પરિવર્તન કરવા પ્રેર્યા છે. આગળ જતાં વલ્લભવિજ્યજી અને લબ્ધિવિજ્યજી વચ્ચે કદી ન સાંધી શકાય એવું જે અંતર પડ્યું તેણે મારી ઉક્ત ધારણાની પુષ્ટિ જ કરી છે. ગમે તે હોય, પણ મને તો ઉપર જણાવેલાં કારણોને અંગે પણ મહેસાણા જવું ને રહેવું ઇષ્ટ હતું. વિદ્યાર્થીઓ સવાર અને બપોર મળી લગભગ સાતેક કલાક તો સાધુઓને જુદા જુદા વિષયો શીખવતો. શીખનાર અને વાંચનારમાં અત્યારે હયાત છે એમાંથી બે નામ સૂચવી શકું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy