SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સપ્તભંગી (એમ. એ.ના પરીક્ષાર્થી એક દક્ષિણી વિદ્વાન મહાશયે ‘સપ્તભંગી’ એટલે શું તેનું દિગ્દર્શન આપવાની વિનંતી કરતાં પંડિત સુખલાલજીએ સારરૂપે~~ મુદ્દારૂપે જે જણાવેલ તે અત્રે આપવામાં આવે છે.) ૧. ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત્ વાયરચના. ૨. એ સાત કહેવાય છે, છતાં મૂળ તો ત્રણ જ છે. બાકીના ચાર એ ત્રણ મૂળ ભંગોના પારસ્પરિક વિવિધ સંયોજનથી થાય છે. ૩. કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકોની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિરોધરૂપ છે કે નહીં અને જો ન હોય તો દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવવો ? અથવા એમ કહો કે અમુક વિક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધર્મવિષયક દષ્ટિભેદો દેખાતા હોય ત્યારે એવા ભેદોનો પ્રમાણપૂર્વક સમન્વય કરવો, અને તેમ કરી બધી સાચી દષ્ટિઓને તેના યોગ્ય સ્થાનમાં ગોઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. દાખલા તરીકે એક આત્મદ્રવ્યની બાબતમાં તેના નિત્યત્વ વિશે દૃષ્ટિભેદ છે. કોઈ આત્માને નિત્ય માને છે તો કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તત્ત્વ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્ત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિત્યત્વ તેમાં પ્રમાણબાધિત છે ? અથવા શું તે અનિત્ય જ છે અને નિત્યત્વ તેમાં પ્રમાણબાધિત છે ? અથવા તેને નિત્ય કે અનિત્યરૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ યોગ્ય છે ? આ ત્રણ વિકલ્પોની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તો એમનો વિરોધ દૂર કરવો જ જોઈએ. જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મો એક વસ્તુમાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy