SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર’એક સમાલોચના ૦ ૨૬૭ ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કોઈ સાધારણ માણસથી થવું શક્ય નથી. કોઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું—તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સોળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી ‘પુષ્પમાળા’માં તેઓ પ્રસંગોપાત્ત રાજાનો અર્થ સૂચવતાં કહે છે કે, રાજાઓ પણ પ્રજાના માનીતા નોકર છે.' (‘પુષ્પમાળા’-૭૦). અહીં ‘પ્રજા’ અને ‘નોકર’ એ બન્ને શબ્દો મર્મસૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપતો જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ ‘મોક્ષમાળા'માં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે ! ‘માનવપણું સમજે તે જ માનવ કહેવાય’ (મોક્ષમાળા'-૪). અહીં ‘સમજે' અને ‘તે જ' એ બે શબ્દો મર્મગ્રાહી છે; અર્થાત્ આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ ‘મોક્ષમાળા’માં મનોજયનો માર્ગ દાખવતાં કહે છે કે મન જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી (‘મોક્ષમાળા'-૬૮), અર્થાત્ તેને વિષયખોરાકથી પોષવું નહિ. અહીં ‘દુરિચ્છા’ અને ‘અને તેને ભૂલી જવી' એ બે શબ્દો વેધક છે. એ જ કુમળી વયની ‘મોક્ષમાળા’કૃતિમાં (‘મોક્ષમાળા'-૯૯). તેઓ સંગઠનબળથી લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સાધતા ‘આંગ્લભૌમિયો'નું ઉદાહરણ લઈ, અજ્ઞાનના સંકટમાં સપડાયેલ જૈન તત્ત્વને પ્રકાશવા ‘મહાન સમાજ'ની સ્થાપનાનું સ્વપ્ન જુએ છે. ૨૩મે વર્ષે ધંધામગ્ન અને સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્રના ખાસ અભ્યાસ વિનાના રાયચંદભાઈ જૈન શાસ્ત્રના કેવા મર્મ ખોલતા, એનો દાખલો જોવા ઇચ્છનાર જૈનોએ ‘શ્રીમદ્ાજચંદ્ર’ અંક ૧૧૮ અને ૧૨૫માં જે પચ્ચક્ખાણ દુષ્પચ્ચક્ખાણ આદિ શબ્દોના અર્થ વર્ણવ્યા છે, જે રુચક પ્રદેશના નિરાવરણપણાનો ખુલાસો કર્યો છે, અને જે નિગોદગામી ચતુર્દશપૂર્વીની ચર્ચાનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ધ્યાનથી વાંચી જવું. ૨૯મા વર્ષે ભારતવર્ષીય સંસ્કૃતિને પરિચિત એવો એક જટિલ પ્રશ્ન પ્રશ્નકારની તર્કજાળથી વધારે જટિલ બની એમની સામે ઉપસ્થિત થાય છે. પ્રશ્નનો સાર એ છે કે આશ્રમક્રમે જીવન ગાળવું કે ગમે તે ઉંમરે ત્યાગી થઈ શકાય ? એની પાછળ મોહક તર્કજાળ એ છે કે મનુષ્યદેહ તો મોક્ષમાર્ગનું ૧. રાજ્ઞા પ્રવૃત્તિનાત્ – કાલિદાસ. ૨. જુઓ આ ગ્રંથ(દર્શન અને ચિંતન) પાન ૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy