SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર’—એક સમાલોચના ૦ ૨૫૫ નામનો કોઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તો છે પણ મહાવીરની પેઠે પોતાને તીર્થંકર મનાવી પોતાના ભક્તોને ચરણોમાં નમાવે છે અને બીજા કોઈને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઇત્યાદિ. મારે કબૂલ કરવું જોઈએ કે જો તે વખતે મારું મન જાગ્રત હોત તો તે આ મૂઢ સંસ્કારોની પરીક્ષા ખાતર પણ કુતૂહલદષ્ટિથી એક વાર શ્રીમદ્ પાસે જવા મને પ્રેરત. અસ્તુ, ગમે તેમ હો, પણ અહીં મુખ્ય વક્તવ્ય એ છે કે લગભગ બધી સગવડ છતાં હું શ્રીમદ્ન પ્રત્યક્ષ મળી ન શક્યો, એટલે તેમના પ્રત્યક્ષ પરિચયથી તેમને વિશે કાંઈ પણ કહેવાનો મારો અધિકાર નથી. તે વખતે પ્રત્યક્ષ પરિચય સિવાય પણ શ્રીમદ્ન વિશે કાંઈક યથાર્થ જાણકારી મેળવવી એ ભારે અઘરું હતું, અને કદાચ ઘણા વાસ્તે હજી પણ એ અધૂરું જ છે. બે તદ્દન સામસામેના છેડાઓ ત્યારે વર્તતા અને હજી પણ વર્તે છે. જેઓ તેમના વિરોધી છે તેમનો, વાંચ્યા, વિચાર્યા અને પરીક્ષણ કર્યા સિવાય, સાંપ્રદાયિક એવો એકાંત વિચાર બંધાયેલો છે કે શ્રીમદ્ પોતે જ ધર્મગુરુ બની ધર્મમત પ્રવર્તાવવા ચાહતા, સાધુ કે મુનિઓને ન માનતા, ક્રિયાનો ઉચ્છેદ કરતા અને ત્રણે જૈન ફિરકાનો અંત આણવા ઇચ્છતા, ઇત્યાદિ. જેઓ તેમના ઐકાન્તિક ઉપાસક છે, તેમાંના મોટા ભાગને શ્રીમાં લખાણોનો વિશેષ પરિચય હોવા છતાં અને કેટલાકને શ્રીમદ્ના સાક્ષાત્ પરિચયનો લાભ મળેલો હોવા છતાં તેમનો પણ શ્રીમદ્ વિશે અંધભક્તિજનિત ઐકાન્તિક અભિપ્રાય એવો રૂઢ થયેલો મેં જોયો છે કે શ્રીમદ્ એટલે સર્વસ્વ અને ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વાંચ્યું એટલે સઘળું આવી ગયું. આ બન્ને છેડાઓના નામપૂર્વક દાખલા હું જાણીને જ નથી ટાંકતો. આ છેક જ સંકુચિત પરિસ્થિતિ ઓછાવત્તા પ્રમાણમાં હજુ સુધી ચાલી આવે છે. છતાં, છેલ્લાં લગભગ વીસ વર્ષમાં આ વિશે પણ એક નવો યુગ પ્રવર્તો છે. જ્યારથી પૂ. ગાંધીજીએ હિંદુસ્તાનમાં વસવાટ વાસ્તે પગ મૂક્યો, ત્યારથી એક યા બીજે પ્રસંગે તેમને મોઢેથી શ્રીમદ્ વિશે કાંઈ ને કાંઈ ઉદ્ગારો નીકળવા જ લાગ્યા અને જડ જેવા જિજ્ઞાસુને પણ એમ સવાલ થવા લાગ્યો કે જેને વિશે સત્યપ્રિય ગાંધીજી કાંઈક કહે છે તે વ્યક્તિ સાધારણ તો નહિ જ હોય. આ રીતે ગાંધીજીના કથનજનિત આંદોલનથી ઘણાઓને વિશે એક જિજ્ઞાસાની લહે૨ જન્મી. બીજી બાજુ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ છપાયેલું હતું જ. તેની બીજી આવૃત્તિ પણ ગાંધીજીની ટૂંક પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ, અને એનો વાચનપ્રસાર વધવા લાગ્યો. શ્રીમા સૈકાન્તિક ભક્ત નહિ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy