SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ • ૧૫૧ તો ઘણું જ ગુમાવે એ ચોખું છે. - પ્રવચનસાર કરતાં સન્મતિતર્કનું સ્થાન વિશિષ્ટ હોવા છતાં અને બન્ને મૂળ ગ્રંથોનું પ્રમાણ લગભગ સરખું હોવા છતાં અભ્યાસક્રમમાં પ્રવચનસાર જેટલો વધારે પ્રચલિત છે તેટલો વધારે સન્મતિતર્ક અપ્રચલિત છે, તેનાં શાં કારણો? એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ઉત્તર સ્પષ્ટ છે. પ્રવચનસારમાં માત્ર પ્રાચીન પદ્ધતિને અનુસરી જૈન તત્ત્વો નિરૂપવામાં આવ્યાં છે, જયારે સન્મતિતર્કમાં તત્ત્વોનું નિરૂપણ નવીન રીતે કરવામાં આવ્યું છે. તેથી નવીન વિચારને અને નવી પદ્ધતિને સહન ન કરી શકનાર પ્રાચીન વર્ગે એ મહત્ત્વપૂર્ણ ગ્રંથથી જોઈતો લાભ ન ઉઠાવ્યો. બીજું કારણ એ છે કે પ્રવચનસાર ઉપરની ટીકાઓ બહુ મોટી કે ભણનારને મૂંઝવે તેવી નથી; જ્યારે સન્મતિની ઉપલબ્ધ ટીકા અસાધારણ મહત્ત્વપૂર્ણ છતાં અતિવિસ્તૃત અને સાધારણ અભ્યાસી માટે અગમ્ય હોવાથી તે મૂળના અભ્યાસમાં દરેકને સાધક થતી નથી. ત્રીજું કારણ પ્રવચનસારીય મૂળ અને ટીકા જૂની-નવી દેશી ભાષાઓમાં અનુવાદિત છે, તેથી ગમે તે જિજ્ઞાસુ તેને વાંચી અને ભણી શકે છે, જ્યારે સન્મતિતર્કની બાબતમાં તેમ નથી. તેની ટીકાની વાત તો બાજુએ રહી, પણ એવડા નાનકડાશા મૂળ ગ્રંથનો જૂની કે નથી કોઈ પણ દેશી ભાષામાં અનુવાદ આજ સુધી ક્યારેય થયો હોય એમ જાણવામાં નથી; કોઈ લેખકે જૂના વખતમાં એના ઉપર સંક્ષિપ્ત ટબો સુધ્ધાં લખ્યો નથી. આ અને આનાં જેવાં બીજાં અનેક કારણોથી એ અસાધારણ ગૌરવવાળા ગ્રંથથી માત્ર ગૃહસ્થવર્ગ જ નહિ, પણ જ્ઞાન અને ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગ સુધ્ધાં મોટે ભાગે અજાણ રહ્યો છે. જૈન તકના સ્વયંભૂ સમ્રાટ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીને કોણ નથી જાણતું ? તેઓશ્રી દ્રવ્યગુણપર્યાયના રાસમાં સ્પષ્ટ કહે છે કે જેઓ દ્રવ્યાનુયોગનો વિચાર નથી કરતા અને ક્રિયાકાંડમાં જ મચ્યા રહે છે તેઓ નિશ્ચયશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ જ નથી જાણતા. એ રીતે દ્રવ્યાનુયોગતત્ત્વચિંતનના અભ્યાસનું મહત્ત્વ બતાવી તેઓએ કહ્યું છે કે તે માટે સન્મતિતર્ક વગેરે ગ્રંથો શીખવા અને તેનું મનન કરવું. ખરેખર, ઉપાધ્યાયજીની તીક્ષ્ણ દૃષ્ટિ વસ્તુસ્થિતિનો સ્પર્શ કરે છે, પણ બહારની ધમાધમ અને ઉપરની ટાપટીપમાં રસ લેનાર ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગનો મોટો ભાગ એ વસ્તુથી બહુ વેગળો હોય એમ લાગે છે; નહિ તો સન્મતિતર્કના નાનામોટા અનેક અનુવાદો અનેક ભાષાઓમાં ક્યારનાયે થયા હોત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy