SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર » અનેકાન્ત ચિંતન સાંભળવાના પ્રયોજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વર્ણન, અને (૪) અંગપ્રવિષ્ટ તેમ જ અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ. (૧) સામાયિક આવશ્યક કોણે રચ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે : केणकयं ति य ववहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओग्णन्नं ॥ -विशेषावश्यकसूत्र, गाथा ३३९२ વિશેષાવશ્યકભાષ્યના એ ગુજરાતી અનુવાદની ઉપોદ્યાતની ટિપ્પણીમાં આ ગાથાનો અર્થ આ પ્રમાણે કર્યો છે : “સામાયિક, જે આવશ્યકસૂત્રનો એક પહેલો ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે. પરંતુ મારે કહેવું જોઈએ કે આ અર્થ નથી ગાથામાંથી નીકળતો કે નથી તેની માલધારી શ્રી હેમચંદ્રકૃત ટીકામાંથી. ઊલટું આ કેનત દ્વારનું વર્ણન તો સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરુદ્ધમાં જ જાય છે. આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે સામાયિક કોણે કર્યું?” અને તેનો ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપ્યો છે કે “વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરો અને ગણધરોએ કર્યું છે, પરંતુ નિશ્ચયદૃષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત્ તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ મ€ માનિ અરા, મૂત્ત ન્તિ IMદર નિરૂપા એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુરૂપે શ્રી તીર્થકરોએ ઉપદેશ્ય અને સૂત્રરૂપે શ્રી ગણધરોએ રચ્યું; પરંતુ તેના દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એનો ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કોણે કર્યું અને સૂત્ર દ્વારા કોણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી. એમાં તો સામાયિક, જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મિક પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિકરૂપ આત્મિક પરિણામના નિશ્ચયદષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે અને વ્યવહારદષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશકો, પ્રેરકો અર્થાત્ સામાયિકરૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થકર, શ્રી ગણધર આદિ છે. તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ જોકે ગાથામાં વપરાયેલા સ્વામી' શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તો એ અર્થ એટલો બધો સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળપાછળનું પ્રકરણ તથા તે ઉપરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy