SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ • અનેકાન્ત ચિંતન આ બંને પ્રકારના ગુણોને પારખી, સમજી તે બાબતમાં પોતાની અને પ્રતિવાદીની તુલના કરવી કે કોનામાં કયા કયા ગુણો ઓછાવત્તા છે. પ્રતિવાદીના પ્રકારો – પ્રતિવાદી ત્રણ પ્રકારના હોય છે : (૧) પર (પોતાનાથી શ્રેષ્ઠ) (૨) પ્રત્યવર (પોતાથી કનિષ્ઠ ) (૩) સમ (પોતાની બરાબરનો). આ ત્રણ પ્રકારો ઉપર્યુક્ત ગુણોની દૃષ્ટિએ સમજવા, નહિ કે ઉંમર, વૈભવ આદિ સર્વાશે. પરિષદના પ્રકારો :- સભાના જ્ઞાનવતી અને મૂઢ એવા બે પ્રકારો મુખ્ય છે. અને એ બેના પણ મિત્ર, શત્રુ અને ઉદાસીન એ ત્રણ પ્રકારો છે. જલ્પને યોગ્ય અને અયોગ્ય પરિષદ - જ્ઞાનશક્તિ સંપન્ન હોય કે મૂઢ હોય, કોઈ પણ જાતની શત્રુસભા જલ્પને અયોગ્ય છે. મિત્રસભા કે ઉદાસીનસભા જો મૂઢ હોય તો તે ગમે તેવાની સાથે અને ગમે તેવી સ્થિતિમાં જલ્પ કરવાને યોગ્ય જ છે. વિગૃહ્યસંભાષા કરતી વખતનાં કર્તવ્યો :- કઠણ અને લાંબાં લાંબાં ન સમજાય તેવાં વાક્યો બોલવાં; અત્યંત હર્ષમાં આવી પ્રતિવાદીનો ઉપહાસ કરતા જવું; આકૃતિથી સભાનું વલણ જોતા જવું; અને પ્રતિવાદી બોલવા લાગે તો એને અવકાશ જ ન આપવો; ક્લિષ્ટ શબ્દો બોલતાં બોલતાં સામાને એમ પણ કહેવું કે “તું તો ઉત્તર જ નથી આપતો' અથવા “તારી પ્રતિજ્ઞા તૂટી, પ્રતિવાદી જો ફરી વાર માટે આહ્વાન કરે તો તેને કહેવું કે “અત્યારે આટલું જ બસ છે. એક વર્ષ ફરી ગુરુસેવા કર,' એમ કહી ચર્ચા બંધ રાખવી; કારણ કે એક વાર હાર્યો તે હંમેશને માટે હાર્યો એમ વિદ્વાનો કહે છે; એ હારેલ પ્રતિવાદીનો ફરી સંબંધ પણ ન કરવો. આ બતાવેલ રીતે જલ્પ પોતાનાથી શ્રેષ્ઠની સાથે પણ કરવો એમ કેટલાક વિદ્વાનો કહે છે; જયારે બીજા વિદ્વાનો તેથી ઊલટું કહે છે. તેઓ કહે છે કે પોતાથી કનિષ્ઠ કે પોતાના સમાન પ્રતિવાદી સાથે મિત્ર કે ઉદાસીન પરિષદમાં જલ્પ કરવો ઘટે છે. આ જલ્પ કરતી વખતે પોતાનું અને પ્રતિવાદીનું બલબલ જોઈ જે બાબતમાં પ્રતિવાદી ચઢિયાતો હોય તે બાબતની પોતાની અયોગ્યતા પ્રકટ કર્યા સિવાય જ કોઈ પણ રીતે તે બાબતને ટાળી દઈ, તેમાં જલ્પ ન કરવો; અને જે બાબતમાં પ્રતિવાદી દુર્બલ હોય, તે જ બાબતમાં તેને જલ્પ દ્વારા શીઘ હરાવવો. દુર્બલને જલદી પરાજિત કરવાના ઉપાયો – જેને શાસ્ત્રપાઠ યાદ ન હોય તેને મોટા મોટા સૂત્રપાઠ ગગડાવીને, જે અર્થજ્ઞાન વિનાનો હોય તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy