SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ઈશ્વર પરત્વે ભારતીય દાર્શનિકો બે વર્ગમાં વહેંચાઈ જાય છે. એક વર્ગ નિત્યમુક્ત જગત્કર્તા એક આત્માને ઈશ્વર ગણે છે. નિત્યમુક્તનો અર્થ એ છે કે જે ભૂતકાળમાં કદી બદ્ધ ન હતો, વર્તમાનમાં બદ્ધ નથી અને ભવિષ્યમાં બદ્ધ થવાનો નથી. બીજો વર્ગ સાધના કરી કલેશમુક્ત વીતરાગ થઈ જીવોને રોગમુક્ત થવાનો - મોક્ષમાર્ગનો - ઉપદેશ આપનાર જીવન્મુક્તને ઈશ્વર ગણે છે. આ બીજો વર્ગ નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી. તેના મતે તો જીવન્મુક્ત ઉપકેષ્ટા જ ઈશ્વર છે. હવે આપણે એક પછી એક દર્શનને લઈ તેની ઈશ્વર વિશેની માન્યતાને તપાસીશું. જૈનદર્શનમતે ઈશ્વર જૈનદર્શન નિત્યમુક્ત જગર્તા ઈશ્વરને માનતું નથી. આવા ઈશ્વરની માન્યતામાં રહેલા દોષોને જૈન ચિંતકોએ દર્શાવ્યા છે. તેમનું નિદર્શન યથાસ્થાને કરીશું. જેનો તીર્થકરને જ ઈશ્વર ગણે છે. તીર્થકર, અહંત, જિન એ પર્યાયશબ્દો છે. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ(મુનિમણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળજ્ઞાન પામ્યા પછી મોક્ષમાર્ગનો ઉપદેશ આપનાર અને શ્રમણસંઘની સ્થાપના કરનાર તીર્થંકર છે. મોક્ષમાર્ગોપદેશ અને શ્રમણસંઘ સંસારસાગર તરી જવા માટે તીર્થ છે. સાધના દ્વારા વીતરાગ બનનાર આ તીર્થંકર જ વીતરાગતાના માર્ગનો-મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા યોગ્ય છે, સમર્થ છે. - આત્મિક શક્તિઓનું આવરણ કરનાર સર્વકર્મનો ક્ષય તીર્થંકરે કર્યો હોઈ તેનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ સ્વભાવભૂત અનંત ચતુષ્ટય પૂર્ણરૂપે પ્રગટ થયું છે. સામાન્ય કેવલી પણ સાધના કરી વીતરાગ બને છે અને આત્મિક શક્તિઓનું આવરણ કરનાર સર્વ કર્મોનો ક્ષય કરે છે, પરિણામે તે પણ અનંત ચતુષ્ટયનું પૂર્ણ પ્રાકટય ધરાવે છે. પરંતુ તે મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા નથી કે શ્રમણસંઘની સ્થાપના કરતા નથી. આ સ્પષ્ટ કરે છે સામાન્ય કેવલીથી તીર્થકરનો ભેદ. જીવોના પરમ ઉપકારક હોવાથી તીર્થંકર પરમ અહિત છે. જેનો તીર્થકરને ઈશ્વર ગણે છે. પોતાનામાં પણ તીર્થંકરના ગુણો વીતરાગતા આદિ કેળવાય એ ઉદ્દેશથી જ જેનો વીતરાગ તીર્થંકરની પૂજા કરે છે. આમ જૈનોના તીર્થકર અન્ય ભારતીય દર્શનોમાં સ્વીકૃત જીવન્મુક્ત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy