SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ભારતીય તત્વજ્ઞાન અટકી જાય છે. તેથી કહ્યું છે કે અનેકાન્ત પણ અનેકાન્ત છે, અર્થાત્ અમુક ક્ષેત્રોમાં તે વ્યાપાર કરે છે અને અમુક ક્ષેત્રોમાં તેનો વ્યાપાર અટકી જાય છે. - સાંખ્યમતમાં ચિત્ત (બુદ્ધિ) જ્ઞાતા છે. ચિત્તચિત્તવૃત્તિ દ્વારા વસ્તુને જાણે છે. ચિત્તવૃત્તિ એટલે ચિત્તનો વિષયાકાર પરિણામ. ચિત્તવૃત્તિ જ સાંખ્યમતે જ્ઞાન છે, જે ચિત્તવૃત્તિ (જ્ઞાન) અસંદિગ્ધ હોય, અવ્યભિચારી હોય અને અનધિગતવિષયક હોય તે જ પ્રમાણ છે.” પ્રમાનું સાધકતમ કારણ (કરણ પ્રમાણ) આપણે પ્રમાની ( યથાર્થ જ્ઞાનની) વ્યાખ્યાઓની ચર્ચા કરી. પરંતુ પ્રમાનું સાધતમ કારણ (=કરણ) શું છે? ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન પ્રમાના (ઉપલબ્ધિના) હેતુને પ્રમાકરણ (= પ્રમાણ) માને છે. પરંતુ શું આવા જ્ઞાનના કોઈ પણ કારણને પ્રમાકરણ (=પ્રમાણ) ગણી શકાય? કોઈ પણ કારણને નહિ પણ જે સાધકતમ કારણ હોય તેને જ પ્રમાકરણ (= પ્રમાણ) ગણાય. પરંતુ અહીં પ્રશ્ન ઊઠે છે કે પ્રમાજ્ઞાનનાં જનક કારણો તો પ્રમેય, પ્રમાતા, વગેરે અનેક હોય છે, તો તે અનેક કારણોમાંથી ક્યા કારણને સાધક્તમ ગણવું? આ પ્રશ્ન પરત્વે નૈયાયિકોમાં બે મત છે. કેટલાક નૈયાયિકો માને છે કે પ્રમારૂપ કાર્ય જે વ્યાપારથી અવ્યવહિતપણે સાક્ષાત્ ઉત્પન્ન થાય તે વ્યાપાર જ પ્રમાનું સાધક્તમ કારણ છે. કેટલાક નૈયાયિકોના મતે આવો વ્યાપાર જે કારક ધરાવતું હોય તે સાધકતમ કારણ (કરણ) છે. આથી સાક્ષાત્કારી (=પ્રત્યક્ષ) પ્રમાશાનની બાબતમાં પ્રથમ મત ધરાવતા નિયાયિકો ઈદ્રિયના વ્યાપારને (=સન્નિકર્ષને) સાધતમ કારણ (કરણ) અર્થાત્ પ્રમાણ ગણે છે જ્યારે બીજો મત ધરાવતા નિયાયિકો તે સન્નિકર્ષરૂપ વ્યાપારવાળી ઇન્દ્રિયને સાધકતમ કારણ અર્થાત્ પ્રમાણ ગણે છે. નૈયાયિક જયંત ભટ્ટ તો જે કારણોથી પ્રમાાન ઉત્પન્ન થાય છે તે બધાં કારણોની સામગ્રીને જ સાધકતમ કારણ ગણી પ્રમાણપદે સ્થાપે છે. આ કારણસામગ્રીની અંદર પ્રમાતા, પ્રમેય અને યથાસંભવ ઇન્દ્રિય, મન, પ્રકાશ વગેરેનો સમાવેશ થતો હોઈ તેને બોધાબોધસ્વભાવવાળી તેમણે વર્ણવી છે. સામગ્રી તદન્તર્ગત કારકોની અપેક્ષાએ સાધતમ છે. સામગ્રી વ્યાપારરહિત છે. એ નોધવું રસપ્રદ બનશે કે કુમારિલે પોતાના શ્લોક્વાર્તિકમાં પ્રમાણ અંગેના વિવિધ શક્યા મતોને ગણાવતાં આ મતનો સૌપ્રથમ નિર્દેશ ક્ય છે." પ્રમાણ એ પ્રમાનું સાધકતમ કારણ છે. તેથી પ્રમા એ પ્રમાણનું ફળ છે. પ્રમાણ અને ફળ (= પ્રમા) વચ્ચે ભેદ છે કે અભેદ એ પ્રશ્ન પરત્વેન્યાયવૈશેષિકોનો સ્પષ્ટ મત છે કે તે બંને વચ્ચે ભેદ છે. આ મત તેમના મૂળભૂત સિદ્ધાન્ત આરંભવાદનું ફલિત છે. આરંભવાદ ઉત્પત્તિ પૂર્વે કાર્યને અસત્ માને છે તેમ જ કારણ અને કાર્ય વચ્ચે આત્યંતિક ભેદ માને છે, કાર્ય ઉત્પન્ન થઈ સમવાયસંબંધથી કારણમાં રહે છે. એક વસ્તુ નોંધવી જોઈએ કે હાનપાદાનાદિબુદ્ધિ સુધીની લાંબી જ્ઞાનપ્રક્રિયામાં એક જ જ્ઞાનાવસ્થા પૂર્વ ફાનાવસ્થાની અપેક્ષાએ ફળ અને ઉત્તર જ્ઞાનાવસ્થાની અપેક્ષાએ પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy