SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય તત્ત્વજ્ઞાન ૧૧૬ અહીં જરા પણ નથી. ઐશ્વર્યના તિરોધાનથી જીવમાં દીનતા ઉત્પન્ન થાય છે, ચરાના તિરોધાનથી હીનતા, શ્રીના તિરોધાનથી વિપત્તિપાત્રતા, જ્ઞાનના તિરોધાનથી દેહાદિમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે, તથા આનન્દના તિરોધાનથી દુઃખ પ્રાપ્ત થાય છે.૧૧૪ ઈશ્વરથી જીવનો આવિર્ભાવ અગ્નિચિનગારીવત્ છે. આ ઉત્પત્તિ નથી. તેથી જીવની નિત્યતાનો હ્રાસ થતો નથી. ઈશ્વરના પોતાના અવિકૃત સત્-અંશમાંથી જડ જગતનો આવિર્ભાવ થાય છે અને અવિકૃત ચિત્-અંશમાંથી જીવનો આવિર્ભાવ થાય છે. જડના આવિર્ભાવકાળે ચિત્ત-અંશ અને આનન્દ-અંશ બંનેનું તિરોધાન હોય છે, પરંતુ જીવના આવિર્ભાવકાળે કેવળ આનન્દ-અંશનો તિરોભાવ હોય છે.૫ २२८ ઈશ્વરના અવતારો એ ભૂતલ ઉપર ઈશ્વરના આવિર્ભાવો છે. જીવને સાધનનિરપેક્ષ મુક્તિ દેવા માટે જ ઈશ્વર અવતારો લે છે.૬ સચ્ચિદાનન્દની પ્રાપ્તિ જીવને ભક્તિ દ્વારા જ થાય છે. ૨૨૭ ઈશ્વરાનુગ્રહને પુષ્ટિ કહેવામાં આવે છે. ઈશ્વરાનુગ્રહને જ આ માર્ગમાં મુક્તિનું પ્રધાન કારણ માનવામાં આવતું હોઈ આ માર્ગને ‘પુષ્ટિમાર્ગ’ કહેવામાં આવે છે.૧૨૯ અન્યથાભાવ છોડી આનન્દરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે.” પ્રપત્તિ (શરણાગતિ) થી ભક્તિનો ઉદય, ભક્તિથી ઈશ્વરાનુગ્રહપ્રાપ્તિ (પુષ્ટિ) અને ઈશ્વરાનુગ્રહથી સ્વરૂપાપત્તિરૂપ મોક્ષ થાય છે. પોતાના પુસ્તક ‘ભારતીય તત્ત્વવિદ્યા’માં પંડિત સુખલાલજી લખે છે : ‘‘વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતવાદી હોઈ બ્રહ્મને (ઈશ્વરને) વિશ્વરૂપ અને વિશ્વને બ્રહ્મસ્વરૂપ કહે અને વિશ્વનું પારમાર્થિકત્વ સ્થાપે એટલું જ. એમણે વળી બ્રહ્મરૂપ ઈશ્વરને જગતનું કારણ કહેતી વખતે બીજા પૂર્વવર્તી આચાર્યો કરતાં પરિભાષા જુદી વાપરી છે. તે કહે છે કે ઈશ્વર (બ્રહ્મ) એ વિશ્વનું ઉપાદાનકારણ નહિ પણ સમવાયિકારણ છે. અને એમણે સમવાયિકારણની વ્યાખ્યા પણ કંઈક અંશે ન્યાયવૈશેષિકની વ્યાખ્યા કરતાં જુદી કરી છે. બ્રહ્મ(ઈશ્વર)ને જ મુખ્યપણે આગમ પ્રમાણથી એ સ્થાપે છે, અને સૃષ્ટિને પણ પ્રાણિકર્મસાપેક્ષ સ્વીકારે છે, છતાં ઈશ્વરની ઇચ્છા યા લીલાનું પૂર્ણ સ્વાતન્ત્ય સાચવે છે.’ *૨૩૧ અહીં પ્રશ્ન એટલો જ થાય છે કે ઈશ્વરની ઇચ્છાની સર્વોપરિતા સાથે પ્રાણિકર્મસાપેક્ષ જગન્નિર્માણનો મેળ કેવી રીતે ખાશે ? અહીં એ વસ્તુ નોધીએ કે રામાનુજ, મઘ્ન, નિમ્બાર્ક, વલ્લભ એ બધા વૈષ્ણવાચાર્યો છે અને તેથી ભાગવત પુરાણ, વિષ્ણુપુરાણ આદિ વૈષ્ણવ પુરાણોનો તેમના ઉપર અત્યન્ત પ્રભાવ હોય એ સ્વાભાવિક છે, એટલે તેમનો ઈશ્વરવાદ આ પુરાણોની વિચારધારાથી રસાયો અને પોષાયો હોય જ એ કહેવાનું ન હોય. હકીકતમાં, નિત્યમુક્ત, જગત્કર્તા, કર્મક્લદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એક ઈશ્વરની માન્યતા પૌરાણિક ક્ષેત્રમાંથી દાર્શનિક ક્ષેત્રમાં પ્રવેશી હોવાનો ઘણો સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy