SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ૧૦૫ આ શ્લોક દર્શાવે છે કે ઉત્તરકાલીનન્યાયશેષિકોની જેમ ઉત્તરકાલીન મીમાંસકો પણ શૈવ ધાર્મિક્તાથી બહુ પ્રભાવિત થયા હતા. પરંતુ ઉત્તરકાલીન ન્યાયવશેષિકોએ ઈશ્વરને વેદની ઉપર સ્થાપ્યો વેઠને પણ જગતની જેમ જ ઈશ્વરકૃત તેમણે ગણ્યો. એથી ઊલટું, મીમાંસકોએ વેદનું સ્થાન ઈશ્વરથી ચડિયાતું જ રાખ્યું, ઈશ્વરને જગત્કર્તા કે વેદફ્ત માન્ય રાખ્યો નહિ-ઈશ્વરને કર્મફળદાતા, ઉપાસ્ય અને ભક્તિનો વિષય માનવા છતાં. વેદાન્તદર્શનમાં ઈશ્વર બાદરાયણરચિત વેદાન્તસૂત્રના અનેક ભાષ્યકારો થયા. એમાં શંકર, ભાસ્કર, રામાનુજ, નિમ્બાર્ક, મધ્વ તથા વલ્લભ પ્રધાન છે. પ્રાયઃ પ્રત્યેક ભાષ્યકારે ઈશ્વરની સ્થાપના કરી છે, ભલે પછી ઈશ્વરના સ્વરૂપ પરત્વે એ બધાની દષ્ટિ પરસ્પર ભિન્ન રહી હોય. અહીં એ ભાષ્યકારોમાં સર્વ પ્રથમ આચાર્ય શંકરનો ઈશ્વર સંબંધી મત પ્રસ્તુત કરવામાં આવે છે. (૧) આચાર્ય શંકર અને ઈશ્વર આપણે જાણીએ છીએ કે આચાર્ય શંકરને મતે એકમાત્ર બ્રહ્મ જ પરમાર્થ સત્ છે. જીવ, જગત અને ઈશ્વરની કેવળ વ્યાવહારિક સત્તા છે. પારમાર્થિક સત્તા ધરાવનાર બ્રહ્મ જ છે. આ પરમ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ છે. સતચિત્—આનંદ તેનું સ્વરૂપ છે. તે કૂટસ્થનિત્ય છે. પરંતુ જ્યારે વ્યાવહારિક ભૂમિકાએ આ જ બ્રહ્મમાયાવચ્છિન્ન બને છે ત્યારે તે ઈશ્વર કહેવાય છે. આમ ઈશ્વરની પારમાર્થિક સત્તા નથી પણ વ્યાવહારિક સત્તા છે. માયા ઈશ્વરની શક્તિ છે. આવો ઈશ્વર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. ઈશ્વર જગતનો કર્તા, ધર્તા, નિયંતા, સંહર્તા છે. તે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આમ ઈશ્વર, જે માયાવચ્છિન્ન બ્રહ્મ છે, તે સગુણ બ્રહ્મ છે. ઈશ્વરની સર્વ ઇચ્છાઓ પરિપૂર્ણ છે. ઈશ્વર પૂર્ણકામ છે. જો ઈશ્વરને જગતનું સર્જન કરવાનું કોઈ પ્રયોજન માનીએ તો તેની પૂર્ણકામતાને હાનિ પહોચે. તેથી કહેવામાં આવ્યું છે કે ઈશ્વરનો જગન્નિર્માણવ્યાપાર લીલાવિલાસ છે.' ઈશ્વર જ જગતનું ઉપાદાનકારણ છે અને ઈશ્વર જ જગતનું નિમિત્તકારણ છે. ઈશ્વર એ માયોપહિત બ્રહ્મ છે. એની ઉપાધિભૂત માયા જગતનું ઉપાદાનકારણ છે, જ્યારે ઈશ્વરચૈતન્ય નિમિત્તકારણ છે. આ દષ્ટિએ જ ઈશ્વરને જગતનું ઉપાદાન અને નિમિત્તકારણ બંને ગણવામાં આવેલ છે. ઈશ્વરની ઉપાધિભૂત માયામાં બે શક્તિઓ છે-આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ.૮૨ . આવરણશક્તિથી માયા પ્રથમ બ્રહ્મનું આવરણ કરે છે. પછી વિક્ષેપશક્તિથી માયા બ્રહ્મ ઉપર વિચત્ર જગતનો આરોપ કરે છે. જાદુગર ઠીકરીને સુવર્ણમુદ્રારૂપે પ્રેક્ષકો સમક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy