SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો વિજ્ઞાનીઓનું માનવું છે. જ્યારે કૃષ્ણરાજિમાં તો દેવો સિવાય કોઈ પદાર્થ પ્રવેશી શકતો જ નથી તેથી અજ્ઞાની ઘૂસણખોર પદાર્થના પ્રવેશનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. 64 (4) - (5) શ્રી નિરંજન વખારિયાએ બતાવેલ ચોથું અને પાંચમું સામ્ય પરસ્પર વિરોધી છે. ચોથા સામ્યમાં તેઓએ કૃષ્ણરાજિને શ્યામગર્ત કહ્યું છે અને તેનો બીજો છેડો પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકમાં (પ્રતિવિશ્વમાં) ખૂલે છે, તેમ કહ્યું છે. જ્યારે પાંચમા સામ્યમાં કૃષ્ણરાજિના આઠ વિભાગને વોર્મ હોલ (Warm Hole) તરીકે ગણાવ્યા છે. તેથી તે બંને સામ્ય પણ ઉચિત જણાતા નથી. તે જ રીતે તેઓએ બીજા બે સામ્ય બતાવ્યાં છે તે પણ બિલકુલ ઉચિત નથી. તો કૃષ્ણરાજિ અથવા તમસ્કાયને શ્યામગર્ત (Black Hole) માનવાનું કારણ શું ? તેનો વિચાર કરતાં નીચે પ્રમાણે જણાય છે. કૃષ્ણરાજિ શબ્દમાં કૃષ્ણ શબ્દ આવે છે. કૃષ્ણનો અર્થ કાળું (Black) થાય છે અને તમસ્કાયનો અર્થ કાળું અંધકાર સ્વરૂપ દ્રવ્ય થાય છે. આ શાબ્દિક સામ્યના કારણે આધુનિક જૈન વિદ્વાનો કૃષ્ણરાજિ અને તમસ્કાયને જ શ્યામગર્ત (Black Hole) માનવા પ્રેરાય તે સ્વાભાવિક જ છે. આવા જ શાબ્દિક સામ્યના કારણે આઇન્સ્ટાઇનના સાપેક્ષતા સિદ્ધાંત (Theory of Relativity) અંગે પણ જૈન વિદ્વાનોમાં ગેરસમજ ફેલાયેલી છે. જ્યારે પણ આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદની ચર્ચા નીકળે ત્યારે જૈન વિદ્વાનો ગૌરવપૂર્વક જણાવે છે કે આઇન્સ્ટાઇને શોધેલ સાપેક્ષતાનો સિદ્ધાંત ભગવાન મહાવીરે 2500 વર્ષ પહેલાં બતાવેલ છે. આમ, આઇન્સ્ટાઇના સાપેક્ષતાવાદને જૈન ધર્મના સાપેક્ષતાવાદ (અનેકાંતવાદ કે સ્યાદ્વાદ)ની સાથે સરખાવે છે. વસ્તુતઃ બંને એકબીજાથી તદ્દન ભિન્ન છે અને તે બે વચ્ચે કોઈ જાતનો સંબંધ પણ નથી. ભગવાન મહાવીરનો સાપેક્ષતાવાદ વિવિધ દૃષ્ટિકોણથી તત્ત્વો, પદાર્થો અંગે વિચારવાનું સમજાવે છે, મતલબ કે તે વૈચારિક છે. જ્યારે આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાવાદ માત્ર દૃશ્યમાન ભૌતિક ઘટનાઓને જ સમજાવે છે અને તે પૂર્વધારણાઓ (Postulates) ઉપર આધારિત છે. તે પૂર્વધારણાઓ જૈનદર્શનની તાત્ત્વિક વિચારણા પ્રમાણે સાચી પણ નથી. ટૂંકમાં, કૃષ્ણરાજિ અથવા તમસ્કાય અને શ્યામગર્તમાં શાબ્દિક સામ્ય સિવાય કાંઈ જણાતું નથી. આથી સાચી વસ્તુસ્થિતિ જુદા જ પ્રકારની હોવાનો સંભવ નકારી શકાય તેમ નથી. પ્રથમ વાત તો એ કે જૈન ગ્રંથકારોએ વર્ણવેલ કૃષ્ણરાજ આ મનુષ્યલોકમાં તો નથી જ. તેઓએ કૃષ્ણરાજિનું સ્થાન બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકની નીચેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy