________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો दो कण्हरातीतो, दाहिणेणं दो कण्हराइओ, पच्चच्छिमेणं दो कण्हराइओ, उत्तरेणं दो कण्हराइओ, पुरच्छिमा अभंतरा कण्हराती दाहिणं बाहिरं कण्हराइं पुट्ठा, दाहिणा अभंतरा कण्हराती पञ्चच्छिमगं बाहिरं कण्हराइं पुट्ठा, पच्चच्छिमा अब्भंतरा कण्हराती उत्तरं बाहिरं कण्हराइं पुट्ठा, उत्तरा अभंतरा कण्हराती पुरच्छिमं बाहिरं कण्हरातीं पुट्ठा, पुरच्छिम पञ्चच्छिमिल्लाओ बाहिराओ दो कण्हरातीतो छलंसातो, उत्तरदाहिणाओ बाहिराओ दो कण्हरातीतो तंसाओ, सव्वाओऽविणं अब्भंतर-कण्हरातीतो चउरंसाओ 1. एतासि णं अट्ठण्हं कण्हरातीणं अट्ठ नामधेजा पन्नत्ता, तं जहां-कण्हरातीति वा मेहरातीति वा मघाति वा माघवतीति वा वातफलिहेति वा वातपलिक्खोभेति वा देवपलिहे वा देवपलिक्खोभेति वा 2 एतासि णं अट्ठण्हं कण्हरातीणं अट्ठस उवासंतरेसु अट्ठ लोगंतितविमाणा पन्नत्ता, तं जहा-अच्ची, अच्चिमाली, वतिरोअणे, पभंकरे, चंदाभे सूराभे, सुपइट्ठाभे अग्गिच्चाभे 3 एतेसु णं अट्ठसु लोगंतितिविमाणेसु अट्ठविधा लोगंतिता देवा पन्नत्ता, तं जहा - सारसतमाइच्चा वही वरुणा य गद्दतोया य । તસિતા સવ્વવિહિ માહ્ય વેવ વોલ્કવ્વા 23
અર્થાત્ સનસ્કુમાર અને મહેન્દ્ર નામના ત્રીજા-ચોથા દેવલોકની ઉપર અને બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકની નીચે અક્ષના આકારે ચોરસ આકારમાં આઠ કૃષ્ણરાજિઓ આવેલી છે. તે આ પ્રમાણે – પૂર્વ દિશામાં બે કષ્ણરાજ, દક્ષિણ દિશામાં બે કૃષ્ણરાજિ, પશ્ચિમ દિશામાં બે કૃષ્ણરાજિ અને ઉત્તર દિશામાં બે કૃષ્ણરાજિ આવેલી છે. પૂર્વ દિશાની અંદરની કૃષ્ણરાજિ દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. દક્ષિણ દિશાની અંદરની કૃષ્ણરાજિ પશ્ચિમ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પશ્ચિમ દિશાની અંદરની કૃષ્ણરાજિ ઉત્તર દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની બહારની તરફની કૃષ્ણરાજિઓ કોણ - છ બાજુવાળી છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ દિશાની બહારની તરફની કૃષ્ણરાજિઓ ચોરસ આકારની છે. તેઓના નામ આ પ્રમાણે છેઃ કૃષ્ણરાજિ, મેઘરાજ, મઘા, માધવતી, વાતપલિઘ, વાતપરિઘોક્ષોભ, દેવપરિઘ, દેવપરિઘોષોભ. તેઓની વચ્ચે અનુક્રમે અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર, ચંદ્રાભ, સૂર્યાભ, સુપ્રતિષ્ઠાભ, અગ્નિત્યાભ (શુક્રાભ) નામના આઠ લોકાંતિક દેવોનાં વિમાનો છે. નવા પ્રકારના લોકાંતિક દેવોનાં વિમાન - રિષ્ટ નામે સૌથી વચ્ચે હોય છે. તેમાં રહેનારા લોકાંતિક દેવોનાં નામ-સારસ્વત, આદિત્ય, વનિ, અરુણ (વરુણ), ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેયામસુત્ જાણવા.
આ કૃષ્ણરાજિમાં તમસ્કાય નામનું દ્રવ્ય આવેલ છે. જૈન ગ્રંથકારોની માન્યતા પ્રમાણે વિશિષ્ટ પ્રકારના દેવો આ કૃષ્ણરાજિમાં સંતાઈ જાય છે, ત્યારે તેમને કોઈ શોધી શકતું નથી. અર્થાત્ લગભગ ગાયબ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org