SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ડોપ્લર ઘટના અંગેના નવા ખ્યાલો 45 અલબત્ત, ગાણિતિક રીતે ઉપરની વાત સત્ય છે પરંતુ વાસ્તવિક જીવનમાં અને તર્કની દૃષ્ટિએ આ વાત યોગ્ય જણાતી નથી. વસ્તુતઃ આ ડોપ્લર ઘટનામાં, પ્રત્યેક ફોટૉન કણ સંબંધી શક્તિ અથવા આવૃત્તિ એક સરખી જ કાયમને માટે રહે છે. પ્રકાશિત પદાર્થ કે પ્રકાશ જે પદાર્થ ઉપર પડતો હોય તેના વેગ પ્રમાણે, પ્રકાશના કણની શક્તિ કે આવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે શક્તિ અને આવૃત્તિ હંમેશા એકસરખી જ હોય છે, પછી ભલેને તે પ્રકાશિત પદાર્થ સ્થિર હોય કે પ્રકાશની દિશામાં ગતિ કરતો હોય કે પછી પ્રકાશની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય. કોઈ પણ પ્રકારના કિરણોત્સર્ગ કે પ્રકાશની તીવ્રતાનો આધાર ફક્ત ચોક્કસ એકમ સમયમાં ચોક્કસ એકમ વિસ્તાર ઉપર પડતા ફોટૉન કણોની સંખ્યા ઉપર જ છે અને તેથી જ પ્રકાશના સ્રોતના પ્રકાશ ઝીલનાર સપાટી તરફના વેગને કારણે અથવા તો પ્રકાશ ઝીલનાર સપાટીના પ્રકાશના સ્રોત તરફના વેગને કારણે તે પ્રકાશની તીવ્રતામાં વધારો થાય છે. જો તે બંને કે બેમાંથી એક, એકબીજાથી દૂર જતા હોય તો, તેના પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય છે કારણ કે પ્રત્યેક એકમ સમયમાં પ્રત્યેક એકમ વિસ્તાર ઉપર પડતા ફોટોન કણોની સંખ્યામાં ઘટાડો થાય છે. બીજી વાત એ કે એકમ વિસ્તાર ઉપર પડતા પ્રકાશ સંબંધી કુલ શક્તિનો આધાર ફક્ત ફોટૉન કણોની આવૃત્તિ ઉપર નથી પરંતુ સંખ્યા ઉપર પણ છે તેથી પ્રકાશની તીવ્રતા વધે તો કુલ શક્તિ પણ વધે છે અને પ્રકાશની તીવ્રતા ઘટે તો કુલ શક્તિ પણ ઘટે છે. વસ્તુતઃ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં, જૈન દર્શનના સિદ્ધાંત પ્રમાણે તથા મારી પોતાની અંગત માન્યતા અનુસાર કંપસંખ્યા - આવૃત્તિ ખરેખર કાલ્પનિક છે. આ સમગ્ર બ્રહ્માંડમાં / અવકાશમાં ધ્વનિ, પ્રકાશ કે વીજચુંબકીય કણો જ એક સ્થાનથી બીજા સ્થાને પ્રવાસ કરે છે. ફક્ત પ્રવાસ દરમ્યાન તેઓનો માર્ગ સર્પાકાર કે તરંગ સદેશ હોય છે. જ્યારે તેઓ ગતિહીન અર્થાત્ શૂન્ય વેગવાળા હોય છે ત્યારે તેમાં આવૃત્તિ નથી હોતી અને શક્તિ પણ નથી હોતી. ફક્ત તેઓ જ્યારે વેગ ધરાવતા હોય છે ત્યારે તેઓના સર્પાકાર માર્ગના કારણે કાલ્પનિક આવૃત્તિ હોય છે અને તેઓની શક્તિનો આધાર જ તેઓનો વેગ જ હોય છે અને તે શક્તિ ન્યૂટોનીયન સિદ્ધાંત પ્રમાણે K.E. mv? = = mc હોય છે. જ્યાં m એ ફોટૉનનું સ્થિર અવસ્થાનું દ્રવ્યમાન છે. અલબત્ત, આધુનિક યુગના વિજ્ઞાનીઓ ફોટૉનને સ્થિર અવસ્થામાં શૂન્ય દ્રવ્યમાનવાળા માને છે, આમ છતાં, જ્યારે વેગમાન (momentum) p=mv (p=mc)ની ગણતરી કરવાની હોય છે ત્યારે તેઓ ફોટૉનને દ્રવ્યમાન હોવાની શકયતાનો સ્વીકાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy