SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ડોપ્લર ઘટના અંગેના નવા ખ્યાલો ભારતના પ્રાચીન ઋષિ મુનિઓએ પોતાના સૂક્ષ્મ અતીન્દ્રિય જ્ઞાનના આધારે ભારતીય પ્રાચીન દાર્શનિક ગ્રંથોની રચના કરી છે, જે ખરેખર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને સત્ય છે. આજે 2500 વર્ષ બાદ પણ, આધુનિક વિજ્ઞાન અને તેમાંય વિશેષતઃ ભૌતિકશાસ્ત્ર સંબંધી વૈજ્ઞાનિક પ્રશ્નોનું નિરાકરણ કરવા આ દાર્શનિક ગ્રંથો સમર્થ છે. જૈન દર્શન પ્રમાણે ધ્વનિ, અંધકાર, પ્રકાશ, છાયા, પ્રભા-આભામંડળ વગેરે વસ્તુતઃ પુદ્ગલ દ્રવ્યના જ રૂપાંતરો છે. જૈન દાર્શનિક વ્યાખ્યા પ્રમાણે પુગલ દ્રવ્યના સૂક્ષ્મતમ અંશ, જેનું કયારેય વિભાજન થયું નથી, થતું નથી અને થશે પણ નહિ, તેને પરમાણુ (Atom) કહે છે. અલબત્ત, પરમાણુ અંગેની આધુનિક ભૌતિકશાસ્ત્રની વ્યાખ્યા અને પ્રાચીન જૈન ગ્રંથોમાં બતાવેલ વ્યાખ્યા એકસરખી જ છે, આમ છતાં, તે બંનેના ખ્યાલોમાં આસમાન જમીન જેટલું અંતર છે. ધ્વનિ અને પ્રકાશ સંબંધી ભારતીય પ્રાચીન અવધારણાઓ | ખ્યાલો, આધુનિક ભૌતિકશાસ્ત્રના બધા જ પ્રશ્નોનું મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકે તેમ છે. આજે, આ લેખમાં પ્રકાશ સંબંધી ડોપ્લર ઘટના અંગેના નવા ખ્યાલો રજૂ કરું છું. વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત (Special Theory of Relativity) અનુસાર સુપ્રસિદ્ધ વિજ્ઞાની આઇન્સ્ટાઇને ગતિમાન પ્રકાશિત પદાર્થોના પ્રકાશની કંપસંખ્યા મેળવવા નીચે પ્રમાણેનું સૂત્ર/સમીકરણ આપ્યું છે. A f' = જયાં , વેગમાન પ્રકાશિત પદાર્થના પ્રકાશ સંબંધી કંપસંખ્યા આવૃત્તિ (frequency) દર્શાવે છે. જયારે પ્રકાશિત પદાર્થ સ્થિર હોય ત્યારે તેના પ્રકાશ સંબંધી કંપસંખ્યા દર્શાવે છે. છ પ્રકાશના વેગની દિશા અને પ્રકાશિત પદાર્થના વેગની દિશા વચ્ચેનો ખૂણો દર્શાવે છે. જયારે છે અને c અનુક્રમે પ્રકાશિત પદાર્થનો વેગ અને પ્રકાશનો વેગ દર્શાવે છે. ઉપરનું સૂત્રસમીકરણ, ડોપ્લર ઘટનાના બધા જ પ્રકારના વેગ માટે છે પરંતુ જ્યારે ૧=૦ હોય તો ઉપર્યુક્ત સમીકરણ, નીચે પ્રમાણેના સમીકરણમાં રૂપાંતર પામે છે. f" - 19-y) : આ સમીકરણ પ્રમાણે પ્રકાશનો સ્રોત અને પ્રકાશ ઝીલનાર p_f1-Cos Ovlc ૫1-* / c* V 1+v/c Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy