SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 22 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો આ પૂર્વે ઈ.સ. 1880માં કિરખોફ અને વન નામના બે જર્મન વિજ્ઞાનીઓએ સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણ અંગે પ્રયોગો તથા અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં ઉખાગતિશાસ્ત્રનો ઉપયોગ કરી, વિકિરણની તરંગલંબાઈ () અને તેની તીવ્રતામાં થતા ફેરફાર સમજાવ્યા. આ પ્રયોગો દરમ્યાન નાની તરંગલંબાઈવાળા તરંગોની તીવ્રતામાં થતો ફેરફાર સમજાવવામાં તથા ઉષ્ણતામાન(તાપમાન) સાથે “મહત્તમ તરંગલંબાઈ માં થતા ફેરફાર સમજાવવામાં તેઓ સફળ થયા, છતાં મોટી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તેઓના સૈદ્ધાંતિક અભ્યાસો સફળ થયા નહિ. આ સમય દરમ્યાન બ્રિટનમાં રેલ અને જીન્સ નામના વિજ્ઞાનીઓએ આ ક્ષેત્રમાં સારો એવો અભ્યાસ કર્યો. અને તેઓએ ફક્ત મોટી તરંગલંબાઈવાળા તરંગો પૂરતાં સંતોષજનક પરિણામો મેળવ્યાં. આ અભ્યાસમાં તેઓએ ન્યૂટનના ગતિશાસ્ત્ર, મેક્સવેલના વીજચુંબકીયશાસ્ત્ર તથા બોર્ડ્ઝમના આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેઓના અભ્યાસ દરમ્યાન એક મુશ્કેલી એ ઊભી થઈ કે નાની તરંગલંબાઈ માટે વિકિરણની તીવ્રતા અનંત થવા જાય છે, જ્યારે વાસ્તવિક પ્રયોગોમાં આ વિકિરણની તીવ્રતા અનંત થઈ શકે જ નહિ. આમ ભૌતિકશાસ્ત્રમાં કટોકટી આવી પડી. ટૂંકમાં, રેલ અને જીગ્ને અભ્યાસમાં ઉપયોગ કરેલ ત્રણ શાસ્ત્રો [(1.) ન્યૂટનનું ગતિશાસ્ત્ર (2) મેક્સવેલનું વીજચુંબકીયશાસ્ત્ર અને (૩) બોગ્ડમના આંકડાશાસ્ત્ર માંથી ઓછામાં ઓછા કોઈ એક શાસ્ત્રમાં ભૂલ હોવી જોઈએ અથવા આ અભ્યાસમાં ઓછામાં ઓછો કોઈ એક વાદ લગાડી શકાય તેમ નથી. વળી આ ત્રણેય શાસ્ત્રો (classical physics) ઉચ્ચ સૈદ્ધાત્તિક અથવા સુસ્થાપિત ભૌતિકશાસ્ત્રના આધાર સ્તંભ સમાન હતા એટલે પ્રાયોગિક પરિણામોને ક્ષતિયુક્ત માન્યા, અને વારંવાર પ્રયોગો કર્યા છતાં પરિણામો તેનાં તે જ આવ્યાં એટલે એ સિદ્ધ થયું કે પ્રયોગોમાં કોઈ ક્ષતિ હતી નહિ. આમ, “પારજાંબલી આફત' સમજાવવામાં તરંગવાદ સદંતર નિષ્ફળ ગયો અને તે જ અરસામાં હર્ઝે પોતાના પ્રયોગ દરમ્યાન પ્રકાશના કણ સ્વરૂપને જોયું. આ રીતે આ પારજાંબલી આફત'નો ઉકેલ શોધવા જતાં, પ્રકાશનું કણ સ્વરૂપ પાછું કાયદેસર ઠર્યું. બીજી બાજુ પ્રયોગશાળામાં વીજચુંબકીય તરંગોનું અસ્તિત્વ સાબિત થઈ ચૂક્યું હતું. એટલે પ્રકાશના સંદર્ભમાં પાછો પ્રશ્ન આવી પડ્યો કે પ્રકાશ શેનો બનેલો છે?તરંગોનો કે કણોનો? 20મી સદીની શરૂઆતમાં આ પ્રશ્નો બરાબર ચગ્યા હતા. તેનો નિકાલ લાવવા માટે મેક્સ પ્લાંક નામના જર્મન વિજ્ઞાનીએ સારી એવી મહેનત કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy