SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આઈન્સ્ટાઈનના સુવિખ્યાત સમીકરણ.. 17 અથવા ઓછું થતું હોય છે. જો પદાર્થ/કણનો વેગ વધે તો દ્રવ્યમાન (m) વધે છે અને વેગ ઘટે તો દ્રવ્યમાન (m) ઘટે છે. જો તે પદાર્થ/કણનો વેગ, જો પ્રકાશના વેગ જેટલો થઈ જાય તો તેનું દ્રવ્યમાન (m) અનંત થઈ જાય છે અને તો તેની શક્તિ પણ અનંત થઈ જાય છે. અર્થાત્ તે પદાર્થની શક્તિ પણ અચળ (constant) રહેતી નથી. ખરેખર, E=mc2 સમીકરણમાં mcર, પદાર્થની સ્થિર અવસ્થાની શક્તિ m_c અને તેની ગતિશક્તિ(kinetic energy)નો સરવાળો દર્શાવે છે અને તે ભૌતિકશાસ્ત્રનાં પુસ્તકોમાં નીચે પ્રમાણે દર્શાવેલ છે: E=mc2 = m_ce + K.E. અહીં m_cએક જ પદાર્થ કે કણ માટે હંમેશા અચળ જ હોય છે, જ્યારે ગતિશક્તિ (K.E.), તેના વેગ પ્રમાણે વધતી-ઓછી હોય છે. માટે સામાન્ય લોકોની એ માન્યતાઓ ભૂલભરેલી છે કે દ્રવ્યમાન (mass) અને શક્તિ(energy)નું સંપૂર્ણપણે એક બીજામાં રૂપાંતર થાય છે અને કોઈપણ પદાર્થની શક્તિ હંમેશાં અચળ હોય છે અને તે દ્રવ્યમાનને પ્રકાશના વેગના વર્ગ વડે ગુણીને જાણી શકાય છે. જો કે વ્યવહારમાં, પ્રાયોગિક પરીક્ષણોમાં કોઈપણ સૂક્ષ્મ કણ(sub-atomic particle)નો વેગ પ્રકાશના વેગ જેટલો ક્યારેય મેળવી શકાયો નથી. આમ છતાં, E=m :-+K.E. સમીકરણ એમ સૂચવે છે કે પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મતમ અંશ/પરમાણુમાં પણ અનંત શક્તિ હોઈ શકે છે અને જૈન દર્શન પણ આ જ વાત દર્શાવે છે. જૈનદર્શન એમ કહે છે કે પ્રકાશ એ તરંગ સ્વરૂપમાં નથી તેમજ શક્તિ સમૂહ (energy packet) 431 tell użą 2.5L81 2494 Ligalas szil(material particles) - બનેલો છે અને તેનો વેગ અચળ નથી. જો પ્રકાશના વેગ કરતાં પ્રકાશના સ્ત્રોતનો વેગ વધુ હોય તો, તેના સંબંધી પ્રકાશનો વેગ પણ પ્રકાશના સ્રોતના વેગ જેટલો જ હોય છે. 2500 વર્ષ કરતાં પણ વધુ વર્ષ પહેલાં ભગવાન મહાવીરના મુખે બોલાયેલ શબ્દ સ્વરૂપ જૈન આગમોમાંથી, ભગવતીસૂત્ર નામના આગમમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ સૂક્ષ્મ કણ અથવા ભૌતિક પદાર્થ પ્રકાશના વેગ કરતાં વધુ વેગ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે આઈન્સ્ટાઈનની પૂર્વધારણાઓ અને જૈન દાર્શનિક સિદ્ધાંત પરસ્પર વિરૂદ્ધ હોવા છતાં બંને એક વાતે સંમત થાય છે કે પુદ્ગલ દ્રવ્ય અથવા કોઈપણ ભૌતિક પદાર્થ કે કણમાં અનંત શક્તિ હોઈ શકે છે. 1. Holistic Science and Human Values (Quarterly, Feb., 1989, Vol-1, No. 1, Page-6Column-1) 2. Special Theory of Relativity, Mass - Energy Equivalence 3. બીટા (B) કણો વધુમાં વધુ 99c. જેટલો વેગ પ્રાપ્ત કરી શકે છે. 4. Jainism : Through Science by Muni Nandighoshvijay (English Section P. No. 8) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy