SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ 304 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો - એમ ત્રણ પ્રયોજન કાવ્યનાં છે. જ્યારે ધનને તેઓએ અનેકાત્તિક કહ્યું છે એટલે કે કાવ્યની રચના કરનારને ધન મળે જ તેવો એકાંતે નિયમ નથી. વળી વ્યવહારકૌશલ અન્ય શાસ્ત્રોનાં અધ્યયનથી પણ પ્રાપ્ત થઈ શકે છે અને અનર્થનિવારણ અન્ય પ્રકારથી પણ થઈ શકે છે. તેથી તેનો, કાવ્યના પ્રયોજનમાં સમાવેશ થઈ શકે નહિ (4) અર્થાલંકાર વિભાગમાં, તેની શરૂઆતમાં જ, ઉપમા અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે કે સાથળંપHI'. માત્ર સમાનતા હોવાથી જ ઉપમા અલંકાર બનતો નથી પણ એ ઉપમા મનોહર હૃદયંગમ હોવી જરૂરી છે અને તો જ તે કાવ્યની શોભા બની રહે છે અને આ શબ્દનો અધિકાર પ્રત્યેક અલંકાર માટે છે, માત્ર ઉપમા અલંકાર પૂરતો મર્યાદિત નથી, તેમ તેઓએ સ્વય અલંકારચૂડામણિ ટીકામાં જણાવી દીધું છે. મતલબ કે દાતા (charmપ્રત્યેક અલંકાર માટે જરૂરી છે. () શબ્દાલંકાર વિભાગ તેઓશ્રી ફક્ત આઠ જ સૂત્રમાં પતાવી, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી, બિનજરૂરી પેટા વિભાગોની ઝંઝટમાંથી વિદ્યાર્થીને મુક્ત કરે છે. તેની સામે અર્થાલંકારનું 31 સૂત્રોમાં વિસ્તૃત નિરૂપણ કર્યું છે. આ વસ્તુ તેમની, શાબ્દિક ચમત્કૃતિ કરતાં અર્થની ચમત્કૃતિ તરફની વિશેષ અભિરુચિ અને પક્ષપાતને સૂચિત કરે છે. આમ, પ્રત્યેક વિભાગ તેમની બુદ્ધિનાં તેજકિરણોથી નવસંસ્કાર પામી દેદીપ્યમાન બનેલો છે. આ ગ્રંથ માત્ર કાવ્ય પૂરતો મર્યાદિત ન રાખતાં, આઠમા અધ્યાયમાં તેઓએ નાટક, પ્રબંધ અને તેના ભિન્ન ભિન્ન પ્રકારોની પણ સમજણ આપી અન્ય કાવ્ય સંબંધી ગ્રંથોમાં રહેલી કાવ્ય અને રસ તથા નાયક-નાયિકાના નિરૂપણનો જેમાં વિપુલ પ્રમાણમાં પ્રાયોગિક ઉપયોગ થાય છે તેવી, નાટક સંબંધી વિવરણની ખોટને પૂરી કરી છે. તેઓએ અલંકારચૂડામણિ ટીકા અને વિવેકવૃત્તિમાં આપેલાં ઉદાહરણો તેઓનાં વિશાળ વાંચન, મનન, ચિંતન અને તેનો સાહિત્યસર્જનમાં વિનિયોગ કરવામાં તેમના પ્રબળ સામર્થ્યનું સૂચન કરે છે. શ્રી એસ. કે. ડે જેવા કેટલાકનો અભિપ્રાય એવો છે કે કાવ્યાનુશાસનમાં કોઈ મૌલિક્તા નથી. પરંતુ તેમનો પોતાનો મૌલિક્તાનો ખ્યાલ કોઈ અલગ હશે અને આવી મૌલિક્તાનું તત્ત્વ બહુ પાછળથી, ભારતીય સાહિત્યમાં ઉમેરાયું છે. પરંતુ પ્રાચીન કાળના સાહિત્ય અને તેના સિદ્ધાંતોનો વિચાર કરતાં, આવા સાહિત્યસર્જન પાછળ મુખ્ય બે હેતુઓ રહેલા હોય છે. એક તો તત્સંબંધી પૂર્વ સાહિત્યમાં જ્યાં ક્યાંય પણ દોષ નજરે પડે તેને દૂર કરવાનો અને બીજો તે સિદ્ધાંતોની વિસ્તૃત સાદી સમજ આપવી. આ બંને હેતુઓ, કાવ્યાનુશાસનની રચનામાં તેના કર્તાએ બરાબર સિદ્ધ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy