SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ 264 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહો ओलित्ताणं पिहियाणं लंछियाणं च मुद्दियाणं च । उक्किट्ठठिई वरिसाण पंचगं ततो अबीयत्तं ॥९९८॥ अयसी लट्टा' कंगु कोडूसग सण वट्ट' सिद्धत्था' । कोद्दव रालग मूलग बीयाण कोठ्याईसु ॥ ९९९ ।। निक्खिताणं एयाणुक्कोसठिईए सत्त वरिसाई । होइ जहन्नेण पुणो अंतमुहत्तं समग्गाणं ॥१००० ।। प्रवचनसारोद्धार - द्वार - १५४ અર્થ : યવ, વિશેષ પ્રકારના યવ, ઘઉં, ડાંગર, વ્રીહિ એટલે કે જાર, બાજરી વગેરે ધાન્ય કોઠીમાં નાખી, તેને બરાબર ઢાંકી, છાણ વગેરેથી લીંપીને બરાબર બંધ કરી દેવામાં આવે તો, તે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી બીજ તરીકે સજીવ રહે છે, પરંતુ ત્યાર બાદ તેના અંકુરોત્પત્તિના કારણરૂપ યોનિનો નાશ થાય છે. તેથી તે નિર્બોજ બને છે એટલે કે વાવવા છતાં ઊગતા નથી. અર્થાત્ તે નિર્જીવ બની જાય છે. તે જ રીતે તલ, મગ, મસુર, વટાણા, અડદ, ચોળા, કળથી, તુવર, ચણા, વાલ વગેરે પણ ઉપર જણાવ્યા પ્રમાણે ઘણા સાચવીને રાખ્યાં હોય તોપણ પાંચ વર્ષ પછી અવશ્ય નિર્બીજ/નિર્જીવ થઈ જાય છે. જ્યારે અલસી, કપાસિયા, કંગુ (પીળા ચોખા જેવું ધાન્ય), કોદરા, શણ, સફેદ સરસવ, કોદરી, રાલક (એક જાતના કંગ), મૂળા એટલે કે એક જાતના શાક વિશેષનાં બીજ પણ ઉપર જણાવ્યા પ્રમાણે કોઠીમાં ભરીને જીવજંતુ ન થાય તે રીતે રાખ્યા હોય તોપણ વધુમાં વધુ સાત વર્ષ સુધી સજીવ/સબીજ રહે છે, ત્યારબાદ અવશ્ય નિર્જીવ બને છે. ઉપર જણાવ્યો તે સમય તો ઉત્કૃષ્ટ એટલે કે વધુમાં વધુ છે. જ્યારે બધાં જ ધાન્ય માટેનો ન્યૂનતમ સમય તો અંતર્મુહૂર્ત છે. મતલબ કે તે ધાન્યના દાણામાં જીવ ઉત્પન્ન થયા પછી, અંતર્મુહૂર્ત અર્થાત બે ઘડી (48મિનિટ)ની અંદર તેનું પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં તે ધાન્યનો દાણો સ્વયમેવ નિર્જીવ બને છે. પરંતુ આ વાત અતિશય જ્ઞાની મનુષ્ય જ જાણી શકે છે પણ છદ્મસ્થ અજ્ઞાની જીવને તેની ખબર પડતી નથી માટે એ રીતે કદાચ અચિત્ત થયેલ ધાન્ય(અન્ન હોય તો પણ તેનો ઉપયોગ કરવો જોઈએ નહિ અને એટલે જ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ, તૃષાથી પીડિત પોતાના સાધુ સમુદાયને, સ્વાભાવિક રીતે જ, સૂર્યના તાપ દ્વારા, અખાયિક જીવોના આયુષ્યના ક્ષયથી અચિત્ત બનેલ તળાવનું પાણી પીવાની રજાસંમતિ આપી નહોતી. ઉપર જણાવ્યું તેમ અનાજધાન્ય નિર્જીવ પણ હોઈ શકે છે. તેથી લીલોતરીનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy