SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 262 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો यदुक्तं महानिशीथे - भयवं ! बीया पमुहासु पव्वतिहीसु विहियं धम्माणुठ्ठाणं किं फलं हवइ ? गोयमा ! बहु फलं हवइ । जम्हा एयासु पव्वतिहीसु पाएणं जीवो परभवाउयं कम्म समजणइ, तम्हा सावएणं, सावियाए, साहुणा, साहुणीए वा अन्नेण वा जीवेणं तवो विहाणाई धम्माणुठ्ठाणं सुहपरिणामेणं कायव्वं । અર્થ - સર્વજ્ઞ એવા તીર્થકરોએ આગમશાસ્ત્રમાં પર્વો આ પ્રમાણે કહ્યાં છે. પર્યુષણા, ત્રણ ચૌમાસી અને બે અઠ્ઠાઈ (શાશ્વતી) એમ કુલ છ અઠ્ઠાઈ. અઠ્ઠાઈ એટલે આઠ દિવસનો સમુહ, મહિનામાં છ પર્વ-તિથિ અથવા પખવાડિયામાં (15 દિવસમાં પાંચ પર્વ-તિથિ અર્થાત્ મહિનામાં દશ પર્વ-તિથિ આવે છે. આ પર્વ-તિથિઓના દિવસે મનુષ્ય પ્રાયઃ પરભવનું આયુષ્ય તથા શુભકર્મ બાંધે છે. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે પ્રભુ! બીજ વગેરે પર્વ-તિથિના દિવસોમાં કરેલ ધર્મ આરાધનાનું શું ફળ હોય છે.? ગૌતમ ! ઘણું ફળ હોય છે. જીવ આ પર્વ-તિથિના દિવસોમાં પ્રાયઃ પરભવનું આયુષ્ય બાંધે છે માટે શ્રાવક, શ્રાવિકા, સાધુ સાધ્વીને શુભ પરિણામ વડે તપ વગેરે આરાધના કરવી જોઈએ. એ જ ગ્રંથમાં આગળ એક શ્લોક નીચે પ્રમાણે આવે છે. द्वितीयाद्याः पञ्च पक्षे मासे षट्तिथयोऽथवा । सावद्यारम्भसच्चित्तत्यागं तास्वेव भावयेः ।। અર્થ બીજ વગેરે પક્ષને વિશે પાંચ અથવા માસને વિશે છ પર્વ-તિથિઓના દિવસે સાવઘારશ્ન-પાપ વ્યાપારનો અને સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. અહીં બંને ઉલ્લેખોમાં મહિનામાં છે તથા પખવાડિયામાં પાંચ પર્વતિથિઓને કઈ અપેક્ષાએ કહી છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દ્વારા વિરચિત શ્રાદ્ધદિનકૃત્ય સૂત્ર તથા તેના ઉપરની તેમની પોતાની બનાવેલ વૃત્તિમાં મહિનાની છ પર્વતિથિનો સંદર્ભ નીચે પ્રમાણે છે. મૂતમ્ : છë તિહામન્વેનિ, 1 તિહી મળ વા ! કિં વા ના અન્ન, તો નાહા સંતિયં 21 | स्वोपज्ञवृत्ति : मासाभ्यन्तर इति गम्यते । षण्णां तिथीनां सितेतराष्टमी-चतुर्दशी पूर्णिमाऽमावास्या लक्षणानां मध्ये का तिथिरद्यवासरे !..... (श्राद्धदिनकृत्यसूत्रम् - स्वोपज्ञवृत्तिविभूषितम्, ग्रन्थकाराः श्रीदेवेन्द्रसूरिपूज्याः) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy