SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ 246 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો પાની કરી નથી. પરંતુ એ બધા જ પ્રયોગો માત્ર ત્રણ-ચાર વર્ષ પૂરતું જ શરીરમાં શક્તિનો સંચાર કરી શક્યા છે. અલબત્ત, આ પ્રયોગોએ એટલું તો સિદ્ધ કર્યું જ છે કે યુવાની ટકાવી રાખવા, આપણા શરીરમાંની અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ સક્રિય હોવી જોઈએ અને લોહીમાં વિપુલ પ્રમાણમાં જાતિય રસો ભળેલા હોવા જોઈએ. એ સાથે કોઈપણ પ્રકારે, શારીરિક, વાચિક કે માનસિક રીતે બ્રહ્મચર્યના ખંડન દ્વારા શરીરમાંના આ સેક્સ હોર્મોન્સ બહાર જવા ન જોઈએ. તો, શું આજના ભોગવિલાસથી ભરપૂર જમાનામાં આ રીતે મન, વચન, અને કાયાથી સંપૂર્ણ રીતે બ્રહ્મચર્ય પાળવું શક્ય છે ખરું? આનો જવાબ મોટાભાગના લોકો “ના” માં આપશે. પરંતુ મારી દૃષ્ટિએ પ્રાચીન મહર્ષિઓએ બતાવેલ બ્રહ્મચર્યની નવ વાડો (મર્યાદાઓ), જેને જૈન પરિભાષામાં બ્રહ્મચર્યની નવ ગુમિઓ કહે છે, તેનું જો યથાર્થ સ્વરૂપે, ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો, બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન સરળ અને સ્વાભાવિક બની જાય છે. તે બ્રહ્મચર્યની નવ વાડ નીચે પ્રમાણે છે. 1. સ્ત્રી (પુરુષ), પશુ અને નપુંસકથી રહિત આવાસમાં રહેવું. 2. એકલી સ્ત્રીને સ્ત્રીઓને એકલા પુરુષે ધર્મકથા પણ કહેવી નહિ અને પુરુષ સ્ત્રી - સંબંધી તથા સ્ત્રીએ પુરુષ સંબંધી વાતોનો ત્યાગ કરવો. 3. સ્ત્રીની સાથે પુરુષે એક આસન ઉપર બેસવું નહિ અને સ્ત્રીએ વાપરેલા આસન ઉપર પુરુષે બે ઘડી 48 મિનિટ સુધી તથા પુરુષના આસન પર સ્ત્રીએ એક પ્રહર ' અર્થાત્ ત્રણ કલાક સુધી બેસવું નહિ. 4. સ્ત્રીએ પુરુષનાં અને પુરુષ સ્ત્રીનાં નેત્ર, મુખ વગેરે અંગોને સ્થિર દૃષ્ટિથી જોવા નહિ , 5. જ્યાં ભીંત વગેરેના આંતરે રહેલ સ્ત્રી-પુરુષની કામ ક્રીડાના શબ્દો સંભળાય તે “કુછ્યન્તરનો ત્યાગ કરવો. 6. પૂર્વે ગૃહસ્થાવાસમાં કરેલ કામક્રીડાના સ્મરણનો ત્યાગ કરવો. 7. પ્રણીત આહાર અર્થાત્ અતિસ્નિગ્ધ, પૌષ્ટિક, તામસિક, વિકારક આહારનો ત્યાગ કરવો. 8. રુક્ષ અર્થાત્ લુખ્ખો-સૂકો આહાર પણ વધુ પ્રમાણમાં ન લેવો. 9. કેશ, રોમ, નખ સમારવા નહિ. સ્નાન, વિલેપનનો ત્યાગ કરવો. શરીરને શણગારવું નહિ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ બ્રહ્મચર્યનું ઘણું મહત્ત્વ છે. તે સંપ્રદાયના શ્રી નિષ્કુળાનંદજીએ ઉપર્યુક્ત બ્રહ્મચર્યની નવ વાડ અંગે એક પદ/કાવ્ય બનાવ્યું છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy