SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 217 પરમત્યાગી, કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માનો વિહાર કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મામાં - 1. શારીરિક શક્તિ સૌથી વધુ પ્રમાણમાં હોય છે કારણ કે તેઓને પ્રથમ વજ8ષભનારાચ સંઘયણ (હાડકાંની સંરચનાનો એક પ્રકાર) હોય છે. જેમાં સૌથી વધુ ઉપસર્ગ - પરિષહ વગેરે સહન કરવાની ક્ષમતા હોય છે. કાળચક્ર તેમના ઉપર મૂકવામાં આવે તો પણ તેનું મૃત્યુ કે શરીરનો નાશ થતો નથી. 2. શારીરિક શક્તિ સૌથી વધુ હોવાના કારણે મનોબળ / માનસિક શક્તિ પણ સૌથી વધુ હોય છે કારણ કે શરીર મજબૂત હોય તો જ મન મજબૂત રહી શકે છે, અને એટલા માટે જ પ્રથમ સંઘયણવાળા મનુષ્યને દેવો પણ ધ્યાનમાંથી વિચલિત કરી શકતા નથી. 3. મન-વચન-કાયાની એકાગ્રતા જ ધ્યાન છે, તેથી જેઓનું શરીર અને મન મજબૂત હોય, તેઓનું ધ્યાન પણ ઉત્કૃષ્ટ/શ્રેષ્ઠ કક્ષાનું હોય તેથી આધ્યાત્મિક પરિસ્થિતિ પણ ઉત્તમોત્તમ હોય. 4. જેમ આત્માને શુભકર્મનો વધુમાં વધુ ઉદય હોય તેમ તેની જૈવિક વીજચુંબકીય શક્તિ વધુમાં વધુ હોય છે. તીર્થંકર પરમાત્માએ પૂર્વભવમાં શુભકાર્યો અને શુભભાવ દ્વારા સૌથી શ્રેષ્ઠ અને સૌથી વિશિષ્ટ પુણ્યાઈ ધરાવતું તીર્થંકર નામ કર્મ બાંધેલ હોય છે. તેનો ઉદય તથા તેની સાથે સંબંધ ધરાવતાં અન્ય શુભકર્મો અતિ ઉગ્રપણે ઉદયમાં આવે છે, તેથી તેઓની જૈવિક વીજચુંબકીય શક્તિ સૌથી વધુ હોય છે. 5. તીર્થંકર હોવાથી તેઓને પ્રાયઃ કોઈપણ જાતના અશુભ કર્મનો ઉદય આવતો જ નથી, તેથી તેના સંબંધિત જૈવિક વીજચુંબકીય શક્તિમાં કોઈ જાતનો અવરોધ આવતો નથી. 6. આત્માના ગુણને આવરણ કરનારાં, આત્માની અનંત શક્તિને પ્રગટ થતી રોકનાર મુખ્ય ચાર કર્મ છેઃ (1) જ્ઞાનાવરણીય (2) દર્શનાવરણીય, (3) મોહનીય (4) અંતરાય, જેને ઘાતકર્મ કહેવામાં આવે છે. આ કર્મો કેવળજ્ઞાનીને સંપૂર્ણપણે દૂર થઈ ગયાં હોય છે. તેથી તેઓના આત્માની અનંત શક્તિને પોતે તથા અન્ય જીવો પ્રગટપણે અનુભવે છે. ઉપર બતાવ્યું તે રીતે છયે છ પ્રકારે કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માની શક્તિ ઉત્તમોત્તમ પ્રકારની અને ઉચ્ચતમ જથ્થામાં પ્રગટ થાય છે. આ શક્તિ સૂક્ષ્મ જૈવિક વીજચુંબકીય ઊર્જા સ્વરૂપે હોય છે. આ ઊર્જા પૃથ્વી સહન કરી શકતી નથી માટે સુવર્ણ કમળ ઉપર પ્રભુ પાદ સ્થાપન કરી વિહાર કરે છે, તેવું નથી, પરંતુ આ શક્તિથી વાતાવરણ ખૂબ જ શક્તિશાળી બની જાય છે, આ શક્તિને મનુષ્યો કે અન્ય પ્રાણીઓ ઝીલવા માટે સમર્થ હોતાં નથી, ઝીલે તો તેઓને લાભ કરતાં નુકસાન થવાનો વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy