SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 195 મંત્ર, યંત્ર અને ધ્વનિઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ ક્યારેક સાંપ્રદાયિક મંત્ર યંત્રની પરંપરાથી અજ્ઞાત લેખક કે સંશોધક યંત્ર કે યંત્રમાં રહેલ અક્ષરો અથવા યંત્રની પદ્ધતિને બરાબર સમજી ન શકવાનું પણ બને છે. દા.ત. "Yantra' પુસ્તકમાં જૈન પરંપરાનું સૂરિમંત્ર સંબંધિત લબ્ધિપદ યંત્ર પ્રકાશિત થયેલ છે. તેમાં લબ્ધિ પદોના મંત્રો પ્રાકૃત ભાષામાં આપેલા છે. એટલું જ નહિ પણ તે દરેક પદના અક્ષરોનો ક્રમ પણ ઊલટો આપવામાં આવ્યો છે. દા.ત. “ૐ નમો જિણાણે 1” પદને 1.ણં ણા જિમો ન ” સ્વરૂપમાં લખ્યું છે. આ બધાં જ પદો સૂરિમંત્રમાં આવે છે. અલબત્ત, આ યંત્ર ઓછામાં ઓછું 200-250 વર્ષ પૂર્વે આલેખાયેલું છે. આવા યંત્રમાં ક્યારેક સાધકનું નામ અથવા જેના માટે એ યંત્ર બનાવવામાં આવ્યું હોય છે, તેનું નામ પણ લખવામાં આવે છે. ઉપર્યુક્ત યંત્રમાં વચ્ચે “ચાળ વાશ” એવું નામ લખેલ છે. તેના આધારે લેખકે આખાય યંત્રને ન્યા" વ% (Kalyana Chakra) અર્થાત્ wheel of fortune કહ્યું છે. આ આ જ યંત્ર સૂરિમંત્ર સંબંધિત “સૂરિમંત્ર કલ્પસમુચ્ચય'માં નવું બનાવીને આપવામાં આવ્યું છે. તેમાં અક્ષરોનો ક્રમ સુલટો છે.” મંત્રજાપ પણ બે પ્રકારે કરવામાં આવે છે. 1. પૂર્વાનુપૂર્વી અર્થાત્ જે ક્રમમાં મંત્રનાં પદો અથવા અક્ષરો આપવામાં આવ્યા હોય તે જ ક્રમે મંત્રજાપ કરવો તે. 2. પશ્ચાનુપૂર્વી અર્થાત્ જે ક્રમમાં મંત્રોનાં પદો અથવા અક્ષરો આપવામાં આવ્યા હોય તેનાથી ઊલટા ક્રમે જાપ કરવો તે. આ બંને પ્રકારના મંત્રજાપનાં જુદાં જુદાં ફળ હોય છે. સામાન્ય રીતે પૂર્વાનુપૂર્વીથી મંત્રજાપ કરવાથી આધ્યાત્મિક ફળ મળે છે. તો પશ્ચાનુપૂર્વીથી મંત્રજાપ કરવાથી એહિક ભૌતિક ફળ મળે છે. આધુનિક વિજ્ઞાનમાં જેમ ટેલિપથીની વિજ્ઞાન શાખા છે, તેમ ચિકિત્સાશાસ્ત્રમાં શ્રીબિનિતોષ ભટ્ટાચાર્ય જેવા બંગાળી હોમિયોપેથી ડૉક્ટરો ટેલિથેરપી નામની ચિકિત્સા પદ્ધતિનો વિકાસ કર્યો છે. આ ચિકિત્સા પદ્ધતિમાં તેઓ ઔષધિનો તો ઉપયોગ કરે છે, પણ સાથે સાથે ઉપર બતાવ્યા તેવાં મંત્રો અને યંત્રોનો પણ ઉપયોગ કરે છે. એ મંત્રો તથા યંત્રોને વિશિષ્ટ પ્રકારના સાધનો ઉપર ગોઠવી તેમાંથી વિશિષ્ટ પ્રકારનાં સ્પંદનો (vibrations) ઉત્પન્ન કરી, તેની સામે ગોઠવેલા દર્દીનાં ફોટા કે નામ દ્વારા અદૃશ્ય સ્વરૂપે દર્દી સુધી પહોંચાડે છે અને તેનાથી દર્દીમાં આશ્ચર્યજનક સુધારો પણ નોંધાયેલો છે. યંત્રો એ સાંકેતિક ચિહનો છે. એ સાંકેતિક ચિહુનોનું અર્થઘટન ભિન્ન ભિન્ન પરંપરાવાળા ભિન્ન ભિન્ન રીતે કરે છે. તેનું કારણ તેઓને પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાન અથવા અનુભવ હોય છે. દા.ત., “શક્તિ અંગે કોઈ ભૌતિકશાસ્ત્રી/વિજ્ઞાનીને પૂછવામાં આવે તો, તે શક્તિને પુદ્ગલ દ્રવ્યના અંગ સ્વરૂપ કાર્ય કરનાર બળ (inherent active Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy